HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 સપ્ટેમ્બર, 2014

HSC Semester I and III Examination Hall Ticket

ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે ૭ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો આપવાના નિર્ણય લઈ લીધો છે. નાણામંત્રી તરફથી મળેલી મંજૂરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ કક્ષાએ પણ ક્લિયરન્સ આપી દેવાયુ છે. આથી હવેથી ગુજરાત સરકારના ૪ લાખ કર્મચારીઓ, ત્રણેક લાખ પેન્શનરો અને ધારાસભ્યોને હવેથી ૧૦૭ ટકા મોંધવારી ભથ્થુ મળશે. યુપીએ સરકારમાં જાન્યુ. ૧૪ના આરંભે ૯૨ ટકા મોંધવારી ભથ્થામાં ૮ ટકા વધારો કરાયો હતો. સાથે જ સાતમાં પગારપંચની જાહેરાત અને તેના અમલની ટાઈમલાઈન જાહેર કરવામાં હતી. દર ૬ મહિને થતા મોંઘવારી ભથ્થું જાન્યુ. ૨૦૧૪માં જ ૧૦૦ ટકાએ પહોંચ્યુ હતુ. ભથ્થાં વધારાનો અમલ ૧લી જૂલાઈની પાછલી અસરથી રોકડામાં કરવાનો નિર્ણય થયો હોવાનું નાણા- વિભાગના સુત્રોેએ જણાવ્યુ છે. દિવાળી પહેલાના તેની ચૂકવણી કરવામાં આવશે.

 New HSC Semester I and III Examination Hall Ticket

  CCC EXAMINATION Hall Ticket  Clk here

(ઇલેક્ટીવ સબ્જેક્ટ)

ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટ્સ અને કોમર્સ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે કોઇપણ એક વિષયમાં સ્પેશિયલ સ્કીલ ડેવલપ થાય તે માટે પસંદગીનો વિષય (ઇલેક્ટીવ સબ્જેક્ટ) ભણાવવાનું નક્કી કરાયું હતું. સેમેસ્ટર સિસ્ટમની સાથે જ આ વધારાના ઇલેક્ટીવ સબ્જેક્ટ ભણાવવા તેવું નક્કી થયું હતું. પરંતુ કોઇ કારણોસર આ નિર્ણયનો અમલ થઈ શક્યો નહોતો.
હવે તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ બદલાતાં નવા આવેલા અધિકારીઓ ફરીવાર ઇલેક્ટીવ સબ્જેક્ટ દાખલ કરી શકાય તેમ છે કે કેમ તે અંગે વિચારણા કરવા માટે આજે ગાંધીનગરમાં એક બેઠક બોલાવી હતી. જો કે, ઉપસ્થિત રહેલા સત્તાધીશો પૈકી મોટાભાગે હાલના તબક્કે સ્ટાફની અછત અને સેમેસ્ટરની મુશ્કેલીઓ રજૂ કરી હતી.

નવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર

Though of the day

દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓંછી કરો.
 નવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર
માર્કંળ્ડેનમાં બ્રહ્માજીએ મનુષ્યની રક્ષા માટે પરમગોપનીય સાધન કલ્યાણકારી દેવી કવચ અને પરમ પવિત્ર ઉપાય સંપૂર્ણ પ્રાણીઓને બતાવ્યો, જે દેવીની નવ મૂર્તિઓ સ્વરૂપ છે. જેને નવદુર્ગા કહેવામાં આવે છે. એમની આરાધના અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી મહાનવમી સુધી કરવામાં આવે છે.
શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ મનોરથ સિદ્ધિ માટે કરવામાં આવે છે, કારણ કે સ્ર્હી દુર્ગા સપ્તશતી દૈત્યોના સંહારની શોર્ય ગાથાથી વધુ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી છે. આ શ્રી માર્કળ્ડેય પુરાણનો અંશ છે. આ દેવી મહાત્મય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થોને પ્રદાન કરવામાં સક્ષમ છે. સપ્તશતીમાં કેટલાક એવા પણ સ્ત્રોત અને મંત્ર છે, જેની વિધિવત પારાયણથી ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે.
* સર્વકલ્યાણ હેતુ :  
सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ।
शरण्येत्र्यंबके गौरी नारायणि नमोस्तुऽते
* અવરોધ મુક્તિ અને ધન પુત્રાદિ પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ ફળદાયી છે
सर्वाबाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वितः।
मनुष्यों मत्प्रसादेन भव‍िष्यंति न संशय॥
* આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિના ચમત્કારિક ફળ આપનારો આ મંત્ર ખુદ દેવી દુર્ગાએ દેવતાઓને આપ્યો છે
देहि सौभाग्यं आरोग्यं देहि में परमं सुखम्‌।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि
* વિપત્તિનો નાશ કરવા માટે
शरणागतर्द‍िनार्त परित्राण पारायणे।
सर्व स्यार्ति हरे देवि नारायणि नमोऽतुते॥
* એશ્વર્ય, સૌભાગ્ય, આરોગ્ય, સંપદા પ્રાપ્તિ અને શત્રુ ભય મુક્તિ માટે
ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः।
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥
* વિધ્નનાશક મંત્ર
सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी।
एवमेव त्याया कार्य मस्माद्वैरि विनाशनम्‌॥
જાપ વિધિ : શુદ્ધ પવિત્ર આસન પર બેસીને રુદ્રાક્ષ કે તુલસી કે ચંદનની માળાથી મંત્રનો જાપ એક માળાથી પાંચ માળા સુધી પૂર્ણ કરી તમારી મનની ઈચ્છા કહો. પૂરી નવરાત્રિ જાપ કરવાથી મનવાંછિત ઈચ્છા પૂર્ણ જરૂર થાય છે. સમય ન હોય તો ફક્ત દસ વાર મંત્રનો જાપ રોજ કરવાથી પણ મા દુર્ગા પ્રસન્ન થાય છે.

  
ભારત ૨૧મી સદીનું નેતૃત્‍વ કરશે : નાના લોકો માટે મોટા કામ કરવા છે
ન્‍યૂયોર્કના મેડિસન સ્‍કવેર ખાતે ૨૦,૦૦૦ ભારતીય અમેરિકનોને મોદીનું સંબોધન : વિકાસને જન આંદોલનનું સ્‍વરૂપ આપવા અનુરોધ : અમેરિકા મોદીમય : પ્રવાસી ભારતીયો ઉપર મોદી છવાયા : તમારા સપનાનું ભારત બનાવી ઋણ ચુકવીશઃ એવું કશું નહિ થાય કે કોઇને નીચું જોવું પડે : ડેમોક્રેસી - ડેમોગ્રાફિક - ડિમાન્‍ડ હોય એવો ભારત એકમાત્ર દેશઃ ન્‍યૂયોર્કના મેડિસન સ્‍ક્‍વેર ગાર્ડનમાં આપેલું ભાષણ ૮૦ દેશમાં લાઈવ જોવા મળ્‍યું: હજારો લોકોએ ટાઈમ્‍સ સ્‍ક્‍વેર ખાતે વિશાળ સ્‍ક્રિનમાં મોદીનું ભાષણ લાઈવ જોયું: પીઆઇઓ કાર્ડ હોલ્‍ડર્સ માટે મોદીએ આજીવન ભારતીય વિઝા આપવાની જાહેરાત કરીઃ ડેમોક્રેસી, ડેમોગ્રાફી ડિવીડન્‍ડ અને ડિમાન્‍ડ ભારતની ત્રણ મોટી તાકાતઃ ભારતે મંગળયાન અમદાવાદના રિક્ષા ભાડા કરતાં પણ સસ્‍તામાં પહોંચાડ્‍યું
ભારત ૨૧મી સદીનું નેતૃત્‍વ કરશે : નાના લોકો માટે મોટા કામ કરવા છે
અમારા પૂર્વજો સાપ સાથે રમતાં,  અમે માઉસ સાથે રમીએ છીએ
    હું જયારે મુખ્‍યપ્રધાન નહોતો ત્‍યારે તાઈવાન ગયો હતો. મારા ઈન્‍ટરપ્રીટરે મને પૂછ્‍યું હતું કે તમને ખોટું ના લાગે તો હું તમને કંઈક પૂછવા માગું છું. તેમણે ફરી પૂછ્‍યું કે તમને ખરાબ નહીં લાગે? તે અચકાઈ રહ્યો હતો. તેણે મને પૂછ્‍યું કે ભારતમાં કાળો જાદુ થાય છે. અહીં તો લોક સાપથી રમતા રહે છે. મેં કહ્યું કે મારા દેશનું ડિવેલ્‍યુએશન થયું છે. અમારા પૂર્વજો સાપ સાથે રમતા હતા. અમે માઉસ સાથે રમીએ છીએ. મારા યુવાનો માઉસને ફેરવે છે. આખી દુનિયાને ડોલાવે છે.
   તમે સૌએ પોતાના વ્‍યવહાર દ્વારા, સંસ્‍કાર દ્વારા, ક્ષમતા દ્વારા અમેરિકામાં ભારે ઈજ્જત કમાઈ છે. તમારા માધ્‍યમ થકી ન માત્ર અમરિકામાં જ, પણ અમેરિકામાં વસતા અન્‍ય લોકોને કારણે પણ ભારતની દુનિયામાં એક સકારાત્‍કમ ઓળખ બનવાવામાં તમારું મોટું યોગદાન છે. ભારતમાં હાલમા જ ચૂંટણી થઈ. તમારામાંથી કેટલાય એવા લોકો હશે કે જેમને મતદાન કરવાની તક નહીં મળી હોય, પણ તમારાથી કેટલાય લોકો એવા હશે કે જે પરિણામની રાતે ઉંદ્યી નહીં શક્‍યા હોય.
   ચૂંટણીમાં જીત બાદ જેટલો જશ્ન હિંદુસ્‍તાન મનાવી રહ્યું હતું એનાથી વધારે જશ્ન દુનિયામાં વસેલો ભારતીય સમુદાય મનાવતો હતો. તમારા કેટલાય લોકો ભારતીય ચૂંટણી સાથે જોડાયા હતા. આવ્‍યા હતા. તેમને મળીને થેન્‍કસ પણ નહોતો કહી શક્‍યો. તેમને આજે થેન્‍ક્‍સ કહું છું. રૂબૂરૂ આવીને કહું છું. તમે આવ્‍યા અને હિંદુસ્‍તાનના ગામડામાં મહિનાઓ સુધી રહ્યાં. ભારતીય ઈતિહાસની મહાન ઘટનાના સાક્ષી રહ્યાં.
   અમે એવું કંઇ નહીં કરીએ જેથી તમારે અહીંયા નીચાજોણું થાય
    ૩૦ વર્ષ બાદ, પ્રથમ વખત ભારતમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બની છે. આ ચૂંટણી પરિણામ હિંદુસ્‍તાનના કોઈ પણ પોલિટિકલ પંડિતના ગળે નહોતા ઉતારતા. ઓપિનિયન મેકર પણ ઓપિનિયન બનાવવામાં અસફળ રહ્યાં. ભારતના ગામના અભણ, ગરીબો લોકોએ ઓપિનિયન મેકરોનો ઓપિયન બનાવ્‍યા. ગરીબથી ગરીબ લોકોની પણ લોકોશાહીમાં કેટલી નિષ્ઠા છે એ આ ચૂંટણી બતાવ્‍યું. પણ ચૂંટણી જીતવું એટલે પદગ્રહણ નહીં, ચૂંટણી જીતવી એ કોઈ ખુરશીમાં બેસવાનો કાર્યક્રમ નથી. ચૂંટણી જીતવી એક જવાબદારી છે. મેં જયારથી આ કાર્યની જવાબદારી સ્‍વીકારી છે, ત્‍યારથી ૧૫ મિનિટ પણ વેકેશન નથી લીધું. હિંદુસ્‍તાનમાં તમે અને દેશે જે જવાબદારી સોંપી છે, હું તમને વિશ્વાસ અપાઉં છું કે, અમે એવું ક્‍યારેય કંઈ નહીં કરીએ જેને લીધે તમારે નીચાજોણું થાય.
    આપણા દેશમાં એક એવો ઉમંગ અને ઉત્‍સાહનો માહોલ છે. દેશના લોકો પરિવર્તન ઈચ્‍છે, દેશ પરિવર્તન ઈચ્‍છે, વિશ્વ જે રીતે આર્થિક બાબતોમાં આગળ વધી રહ્યું છે તેવી જ રીતે ભારતના ગરીબથી ગરીબ લોકો પણ પરિવર્તન ઈચ્‍છે છે. મારા દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છે કે ભારતની આર્થિક સ્‍થિતિમાં પરિવર્તન માટે તમે જે સરકારને ચૂંટી છે તે કોઈ કમી નહીં રાખે. હું આ વાતને બરાબર જાણું છું કે અહીં ઊભેલા તમને સૌને ભારત માટે ભારે અપેક્ષા છે. ભારતના નાગરિકોને પણ વર્તમાન સરકાર પાસે ભારે અપેક્ષા છે. હું વિશ્વાસથી કહું છું કે આ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે ત્‍યારે અપેક્ષાઓને પૂર્ણ કરવામાં ૧૦૦ ટકા સફળ રહેશે. હું જયારે મુખ્‍યપ્રધાન હતો ત્‍યારે મને ખબર નહોતી કે મારા માથે આ જવાબદારી આવશે. વિશ્વ આખું કન્‍વિન્‍સ છે કે, ૨૧મી સદી એશિયાની સદી હશે. અમેરિકાના ગણમાન્‍ય રાજનેતાઓ જાહેરમાં કહ્યું છે કે ૨૧મી સદી એશિયાની સદી છે તો કોઈ કહે છે કે ભારતની સદી છે. આવી વાતો અમથી નથી થતી. ભારત પાસે સામર્થ્‍ય છે.
   લોકતંત્ર, ડેમોગ્રાફિક ડિવિડન્‍ટ અને ડિમાન્‍ડ એક સાથે હોય તેવો ભારત એકમાત્ર દેશ
   આજે હિન્‍દુસ્‍તાન દુનિયાનો સૌથી યુવાન રાષ્ટ્ર છે. દુનિયાની સૌથી જૂની સંસ્‍કૃતિ વાળો દેશ આજે દુનિયાનો સોથી યુવાન દેશ. એક એવું અદભૂત મિલન. એવો સંજોગ ઉભો થયો કે દેશના ૬૫ ટકા લોકો ૩૫ વર્ષ કરતા નાના છે. નિરાશાનું કોઈ કારણ નથી સાથીઓ. વિશ્વાસ સાથે કહું છું કે દેશ ભારે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આ નવયુવાનોના સામર્થ્‍યથી આગળ વધવાનો છે.
   ભારત પાસે ત્રણ એવી વસ્‍તુ છે જે દુનિયાના કોઈ રાષ્ટ્ર પાસે નથી. એ ત્રણ વસ્‍તુ જેના પર ભારત ગર્વ કરી શકે, આગળ વધી શકે. એમાં એક છે લોકતંત્ર. ચૂંટણી વખતે શરીર પર કપડાં ના હોય એવા લોકો પણ ચૂંટણી સભામાં પહોંચતો હતો. ભારતમાં લોકતંત્ર વ્‍યવસ્‍થા નથી, આસ્‍થા છે વિશ્વાસ છે. બીજી શક્‍તિ છે ડેમોગ્રોફિક ડિવિડન્‍ટ. જે દેશ પાસે ૩૫ થી ઓછી ઉંમરના ૬૫ ટકાથી વધી યુવાનો હોય તેને બીજું શું જોઈએ. ત્રીજી વાત ડિમાન્‍ડ. આખી દુનિયા ભારત તરફ નજર કરે છે. એમને ખબર છે કે સવાસો કરોડનો દેશ વિશાળ માર્કેટ છે. અહીંયા ડિમાન્‍ડ ઊંચી હોય છે.
   આ ત્રણેય વસ્‍તુ કોઈ એક રાષ્ટ્ર પાસે હોય એવો દેશ દુનિયામાં બીજો કોઈ નથી. આ જ શક્‍તિ અને સામર્થ્‍યના આધારે ભારત નવી ઊંચાઈઓને પાર કરશે એ મારો વિશ્વાસ છે. અમેરિકા દુનિયાનું સૌથી જુનું લોકતંત્ર છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. દુનિયા આખીના લોકો અમેરિકામાં આવીને વસ્‍યા છે. ભારતના લોકો દુનિયા આખીમાં વસ્‍યા છે. દુનિયાનો કોઈ ખૂણો નહીં હોય જયાં ભારતીય ન મળે. અમેરિકાનું કોઈ એવું શહેર નહી હોય જયાં દુનિયાનો માણસ ના મળે. કેવી સમાનતા?
   મારો સ્‍પષ્ટ મત રહ્યો છે કે, સરકાર વિકાસ નથી કરી શકતી. સરકાર વધુથી વધુ પોતાની સ્‍કીમ લાગું કરી શકે. રોડ બનાવવા, હોસ્‍પિટલ બનાવવી તેના બજેટની સીમા હોય છે. વિકાસ ત્‍યારે થાય જયારે લોકભાગીદારી હોય. અત્‍યાર સુધી સરકારે વિકાસનો ઠેકો લીધો હતો. અમે એ રસ્‍તો અપનાવો કે વિકાસ સવાસો કરોડ દેશવાસીઓ અને સરકાર સાથે મળીને કરશે. દેશે પ્રગતિ કરવી હોય તો ગુડ ગવર્ન્‍સની જરૂર પડે. તમારી પણ કેવી ફરિયાદ હોય કે એરપોર્ટ પર ઉતર્યા કે આવું થયું... વિઝા લેવા માટે ગયા હતા... ભલે હું હજારો માઈલ તમારાથી દૂર રહુ છું તમારા દર્દને ઓળખું છું. પીડાને ઓળખું છે. 
Central Teachers Eligibility Test (CTET) Official Answer key Declared :

Answer key : Click Here

Exam was held on 21-09-2014


29 સપ્ટેમ્બર, 2014

World HEART Day

navratri

આજનો વિચાર

જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.-જલારામ બાપા


 


માઁ દુર્ગાના નવ સ્વરૂપો

નવરાત્રિ આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી) આગલના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડીક જાણીએ.  
પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.
 બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી. 
ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.
ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.
છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે. સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.
નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. 

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત વેળાએ ભારતીયો ઝુમી ઉઠયાઃ મહાત્‍મા ગાંધીજીની ૧પ૦મી જયંતિએ સ્‍વચ્‍છ ભારત અર્પણ કરવાની નેમઃ આઝાદીના ૭પ વર્ષે તમામ ભારતીયોને ઘરના ઘરનું સ્‍વપ્‍ન સાકાર કરીશું: ગંગા સ્‍વચ્‍છ કરવાનું મહાઅભિયાનઃ નાના માણસો માટે મોટું કામ કરવાની મહેચ્‍છાઃ પી.આઇ.ઓ.કાર્ડ હોલ્‍ડરને આજીવન વિઝાઃ મૈડિસીન સ્‍કવાયર ગાર્ડનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અૈતિહાસિક ઉદ્દબોધનઃ વારંવાર મોદી મોદીના નારાથી ગાર્ડન ગુંજી ઉઠયું: ૨૦ હજારથી વધુની મેદનીમાં હર્ષની ચીચીયારી: ઉત્‍સવી માહોલ
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત વેળાએ ભારતીયો ઝુમી ઉઠયાઃ મહાત્‍મા ગાંધીજીની ૧પ૦મી જયંતિએ સ્‍વચ્‍છ ભારત અર્પણ કરવાની નેમઃ આઝાદીના ૭પ વર્ષે તમામ ભારતીયોને ઘરના ઘરનું સ્‍વપ્‍ન સાકાર કરીશું: ગંગા સ્‍વચ્‍છ કરવાનું મહાઅભિયાનઃ નાના માણસો માટે મોટું કામ કરવાની મહેચ્‍છાઃ પી.આઇ.ઓ.કાર્ડ હોલ્‍ડરને આજીવન વિઝાઃ મૈડિસીન સ્‍કવાયર ગાર્ડનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અૈતિહાસિક ઉદ્દબોધનઃ વારંવાર મોદી મોદીના નારાથી ગાર્ડન ગુંજી ઉઠયું: ૨૦ હજારથી વધુની મેદનીમાં હર્ષની ચીચીયારી: ઉત્‍સવી માહોલ
ન્‍યૂયોર્ક,: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની મુલાકાત વેળાએ સમગ્ર ભારતીય સમુદાયમાં આનંદની  લહેર ઉઠી છે. મૈડિસીન સ્‍કવાયર ગાર્ડન ખાતે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંબોધન વેળાએ વારંવાર મોદી - મોદીના નારાથી સ્‍ટેડિયમ ગુંજી ઉઠયું હતું. શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંબોધન વેળાએ અમેરિકામાં વસતા ભારતીયોની આંખોમાં તરવરાટ સ્‍પષ્‍ટ જોવા મળ્‍યો હતો. શ્રી મોદીએ પોતાની મંત્રમુગ્‍ધ વાણીમાં ભારતની ગરિમા અને ગૌરવપૂર્વકની અનેક યોજનાઓ જાહેર કરી હતી જેમાં આઝાદીના જનઆંદોલન જગાવનાર મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જયંતિએ સ્‍વચ્‍છ ભારત અર્પણ કરવાની આગવી યોજના જાહેર કરી હતી. તેમજ આગામી ર૦રર સુધીમાં આઝાદીના ૭પમાં વર્ષની ઉજવણી તમામ ભારતીયોને ઘરના ઘરના સ્‍વપ્નને સાકાર કરીશું, તેમજ ભારતની ઓળખસમી ગંગાને સ્‍વચ્‍છ કરવાનું મહાઅભિયાન છેડવાનું એલાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે નાના માણસ માટે ખૂબજ મોટું કામ કરવાનું પોતાની મહેચ્‍છા જાહેર કરી હતી.  આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો માટે પણ વિવિધ ગિફટ આપી હતી જેમાં PIO કાર્ડ હોલ્‍ડરને આજીવન વિઝા આપવી તેમજ લાંબા સમય સુધી ભારતમાં રહેનારને પોલીસ સ્‍ટેશનમાં જવાની જરૂર નહિ રહે તેવી જાહેરાતો કરતાં હર્ષની ચીચીયારીઓ ઉ

28 સપ્ટેમ્બર, 2014

ગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે

આજનો વિચાર

  • જયારે દીવાલ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો પડી જાય છે, પણ જયારે સંબંધ માં તિરાડ પડે છે ત્યારે દીવાલો બની જાય છે.





ગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે


 હાં..મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… મણિયારો તે કળાયેલ મોરલો ને કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુજો, વરગાણી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… અણિયાળી રે ગોરી તારી આંખડી ને કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… મણિયારો તે અડાબીડ આંબલો ને કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
હાં… પનિહારીનું ઢળકંતુ બેડલું ને કાંઈ હું રે છલકંતુ એમાં નીર રે,
છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
મોદી પ્રોટોકોલ તોડી મળ્યાં ચાહકોને,આખું US મોદીમય

 મોદી પ્રોટોકોલ તોડી મળ્યાં ચાહકોને,આખું US મોદીમય
ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર

વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક સિટીની ન્યૂયોર્ક પેલેસ હોટલે પહોંચ્યા ત્યારે હોટલની બહાર ઊભેલા ચાહકોએ તેમનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. મોદી જેવા પોતાની ગાડીમાંથી ઉતર્યા ત્યારે પ્રશંસકો જોશભેર નારા લગાવવા માડ્યા હતા. પીએમ પહેલા હોટેલમાં પ્રવેશ્યા ને પછી તરત જ હોટેલની બહાર ઊભેલા હજારો પ્રશંસકોને મળવા ચાલીને બહાર આવ્યા હતા. વડાપ્રધાનની ફરતે સિક્યોરિટી ઓફિસર્સ હતા તેમ છતાં મોદી સિક્યોરિટી પ્રોટોકોલ તો઼ડીને પ્રશંસકો તરફ આગળ વધ્યા હતા ને તેમણે કેટલાંય પ્રશંસકો સાથે હાથ મિલાવ્યા ને સૌને નમસ્કાર કર્યા હતા. મોદીને જોઇને બેકાબૂ બનેલી ભીડને સંભાળવી સિક્યોરિટી ઓફિસર્સ માટે પડકારરૂપ બન્યું હતું.
અમેરિકામાં ૧૦૦ કલાક દરમિયાન પ૦થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેનારા મોદીએ પ્રવાસ પહેલા અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં લેખ લખી લખ્યો હતો. આ લેખમાં મોદીએ અમેરિકાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો છે કે ભારત સરકાર રોકાણ સંબંધી કાયદા હળવા કરશે અને સાથે ભારતના બદલાવ અંગે પણ વાત કરી છે.
મોદી જણાવે છે કે ભારતમાં બદલાવ શરૂ થઇ ગયો છે, તમે (અમેરિકન્સ) ભારત આવશો તો તમને પણ આ બદલાવનો અહેસાસ જરૂર થશે, ભારતના વિકાસમાં અમેરિકાનું મોટુ યોગદાન રહેલું છે, અમે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આધારભૂત સંરચનાનું નિર્માણ કરીશું, જેથી વિકાસને ગતિ આપી શકાય અને વિકાસની મૂળ સમસ્યાઓ છે તેને દૂર કરી શકાય. મોદીએ મેક ઇન ઇન્ડિયા અંગે પણ આ અખબારમાં વાત કરી હતી.
ઘણી વખત ભુલથી વોટ્‍સએપના મેસેજ ડિલીટ થઈ જતા હોય છે. ઘણી વખતે તે મેસેજ ખૂબ મહત્‍વના હોવા છતા જો તે ડીલીટ થઈ જાય તો તેના કારણે ઘણું નુકસાન પણ થતું હોય છે. પરંતુ હવે આવું થતાં રોકી શકાય છે. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે વોટ્‍સએપમાં આ મેસેજને મેન્‍યુઅલી પાછા મેળવી શકાય છે. આવો જાણીએ કેવી રીતે આ વોટ્‍સએપમાં ડીલીટ થયેલા મેસેજ પરત મેળવી શકાય છે.
   એન્‍ડ્રોઈ ફોનવોટ્‍સએપ ઓપન કરો અમે મેન્‍યુબટન દબાવો સેટિંગ્‍સ- ચેટ સેટિંગ્‍સ-બેકઅપ કર્ન્‍વેઝેશન

   ‘એમએસજીસ્‍ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્‍ટ૭' નામનાફોનના વોટ્‍સએપ ડેટાબેઝ ફોલ્‍ડરમાં સ્‍ટોર આ બેકઅપ ફાઈલને રિનેમ કરીને ‘એમએસજીસ્‍ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્‍ટ૭ ડોટ કરંટ' નામ આપો. વોટ્‍સએપ અનઈન્‍સ્‍ટોલ કરો અને સેવ બેકઅપ ફાઈલને ફોન પર વોટ્‍સએપ ફોલ્‍ડરમાં શોધો.

   હવે વોટ્‍સએપને રિઈન્‍સ્‍ટોલ કરો. એખ વખત તમે તમારો ફોન નંબર વેરિફિકેશન કરશો તો વોટ્‍સએપનો પ્રોમ્‍પટ તમને મેસેજ મળ્‍યો હોવાની સૂચના આપશે. રિસ્‍ટોર ટેપ કરો અને તમારી બેકઅપ ફાઈલ પસંદ કરો. ટૂંક સમયમાં જ તમારો ડીલીટ થયેલો મેસેજ તમારી સામે હશે.

27 સપ્ટેમ્બર, 2014

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા


gallery thumb image
જય અંબે  
અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

 

ગુજરાતી રાસ-ગરબા - માથે મટુકડી મહીની ઘોળી

navratri


માથે મટુકડી મહીની ઘોળી
હુ મહીયારણ હાલી રે ગોકુળમાં.. 
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને 
લાજો કાઢ્યાની ઘણી હામ રે. ગોકુળમાં, 
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને 
ઝીણું બોલ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં, 
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને 
પાયે લાગ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરી વા'લા... 
 
સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને 
પ્રીત કર્યાની ઘણી હામ રે.. ગોકુળમાં.. 
હો મારા શ્યામ મુજને હરી વા'લા...   
 ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન

 ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન
ભારતનું મંગળયાન મંગળની કક્ષામાં પ્રવેશ થઈ ગયું છે. મંગળની કક્ષામાં યાનનો પ્રવેશ કરનાર ભારત ચોથો દેશ છે. પરંતુ અશિયાઈ દેશોમાં ભારત પ્રથમ દેશ છે જેમનું પ્રથમ પ્રયાસે યાન મંગળ કક્ષામાં પ્રવેશ થયો છે. મંગળયાનનું મગળની કક્ષામાં પ્રવેશ થતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં છે. ભારત દ્વારા બનાવાવમાં આવેલું મંગળ યાન માત્ર રૂ. 450 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. મિશન મંગળયાનને સફળતા મળતા ઈસરો સેન્ટરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
મંગળયાન મંગળમાં સ્થાપિત થતાં સોનિયા ગાંધી સહિત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ગુજરાતના વડાપ્રધાન આનંદીબેન પટેલે પણ ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અમેરિકાની વૈત્રાનિક સંસ્થા નાસાએ પણ ઈસરોને અભીનંદન પાઠવ્યા હતાં.
નરેન્દ્ર મોદીએ ઈસરોમાં આપેલા ભાષણની હાઈલાઈટ્સ
વડાપ્રધાને રચેલી ગુજરાતી બે પંક્તિ સંભળાવી : નિષ્ફળ જઈશું તો ટીકા થશે અને સફળ થઈશું તો ઈર્ષા પાત્ર થઈશું
દેશના દરેક નાગરિકે વૈજ્ઞાનિકો પર ગર્વ કરવું જોઈએ, આપણી ક્રિકેટ ટીમ એક ટુર્નામેન્ટ જીતીને આવે તો આપણે તેમને વધાવી લઈએ છીએ, જ્યારે આપણાં વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસીક સીદ્ધી મેળવી છે
ભારત મંગળ સુધી પહોંચનાર એશિયાનો પ્રથમ દેશ છે
ભારતે અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડ્યું છે
મને આપણાં વૈજ્ઞાનિકો પર ગર્વ છે
મારા ઈસરોના વૈજ્ઞાનિકોને અશ્કયને શક્ય કરવાની આદત પડી ગઈ છે
વૈજ્ઞાનિકો સવારથી મુંઝવણમાં હતાં કે મને બોલાવો કે નહીં, પરંતુ મે કહ્યું કે નિષ્ફળ પણ થઈશું તો તેની જવાબદારી હું લઈશ
પહેલા પ્રયાસમાં અત્યાર સુધી કોઈને સફળતા નથી મળી
મને મિશનની સફળતા પર વિશ્વાસ હતો
હોલિવૂડની ફિલ્મ કરતાં પણ સસ્તામાં આપણે મંગળ યાન બનાવ્યું છે
મિથેન ગેસનું સેન્સર અને કેમેરા ઈસરોમાં બન્યું છે
આજે બપોર સુધીમાં મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીર મળશે
મંગળની કક્ષામાં પહોંચનાર ભારત ચોથો દેશ છે
આજે ઈતિહાસ રચાયો છે
દેશ માટે આજે ઐતિહાસીક દિવસ
દેશ અને ઈસરો માટે આજે મહત્વનો દિવસ
યાનમાં મંગળનું મિલન થઈ ગયું
પીએમ નરેન્દ્ર મોદીએ અભીનંદન આપ્યા.

અમેરિકી છાપામાં પીએમ મોદીએ લખ્યો લેખ, "જલ્દી જોવા મળશે બદલાયેલુ ભારત"

modi
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યસ્ત અમેરિકા પ્રવાસના એક દિવસ પહેલા અમેરિકાના છાપા વોલ સ્ટ્રીટ જર્નલમાં પોતાનો લેખ લખ્યો છે કે આવનારા એક મહિનામાં તમને એક બદલાયેલુ ભારત જોવા મળશે. તેમણે લખ્યુ કે જો તમે પહેલા ક્યારેય ભારત ગયા છો તો આવનારા મહિનાઓમાં તમને બદલાયેલુ ભારત જોવા મળશે. ભારતને વેપાર, વિચાર, શોધ, નવાચાર અને પર્યટન માટે ઉદાર અને મૈત્રીપુર્ણ બનાવવામાં આવશે. 
 
અમેરિકાને પ્રાકૃતિ વૈશ્વિક ભાગીદાર બતાવતા મોદીએ લખ્યુ છે કે ભારત અને અમેરિકા એક બીજાની સફળતામાં મૂળભૂત ભાગ રાખે છે.  'મેક ઈન ઈંડિયા' અભિયાનની શરૂઆતના એક દિવસ પછી પ્રધાનમંત્રીએ લખ્યુ કે ભારતમાં અફસરશાહીને સરળ અને નાનુ બનાવવાની સાથે જ સરકારને પારદર્શી અને જવાબદાર બનાવવામાં આવશે. તેમણે લખ્યુ કે વિકાસને વધારવા અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પુર્ણ કરવા માટેની ખૂબ જરૂર છે. જેને અમે પુર્ણ કરીશુ અને વિશ્વ સ્તરીય આધારભૂત માળખુ તૈયાર કરીશુ.  અમે અમારા શહેરોને સ્માર્ટ અને રહેવા લાયક બનાવીશુ અને અમારા ગામ આર્થિક ફેરફારના નવા એંજિન બનશે.  'મેક ઈન ઈંડિયા' અમારી પ્રતિબદ્ધતા છે જે સૌને માટે આમંત્રણ છે. જેનાથી ભારતને એક વૈશ્વિક નિર્માણ હબ બનાવી શકાય. 
 
 પોતાના લેખમાં મોદીએ લખ્યુ કે ભારતમાં ફેરફારની ઊંચી લહેર છે. 1.25 અરબ લોકો રાજનીતિક સ્થિરતા, ગુડ ગવર્નેસ અને ઝડપી વિકાસ ઈચ્છે છે. મોદી પાંચ દિવસની અમેરિકા યાત્રા પર ગયા છે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપશે અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન અમેરિકામાં રહેનારા ભારતીયોને મોદી ન્યૂયોર્કના મેડિસન ગાર્ડનમાં સંબોધિત કરશે.

Complete Vishwambhari stuti (Awesome)

26 સપ્ટેમ્બર, 2014

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે.
નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસોમા દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે.

નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.
નવરાત્રિમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે.
નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે.
નવરાત્રિના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે, અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી વ્રત ઉપાસના કરવામાં આવે છે.
સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ ભાગ્યવેત્.
જેનો મતલબ છે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ.
આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર માતાની શક્તિ પામવાનો છે. જે લોકો નવરાત્રિમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતા વધુ ફળ મળે છે. નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે. આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે. આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનુ ફળ આપણને મળે છે.
જો નવરાત્રિના પ્રથમ દિવસે એટલેકે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે વિધિપૂર્વક કરેલુ દેવીપૂજન ઈચ્છિત ફળ આપે છે. પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી - હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો. 
અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬
રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯
શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦
શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,
રાત્રી દિને ભગવતી તુજને જપું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨
તારા સિવાય જગમાં નથી કોઇ મારું,
સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,
માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩



ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં આજે મોટી ઐતિહાસિક હરણફાળ ભરી હતી. મંગળયાન સફળતાપૂર્વક મંગળની પરિભ્રમણ કક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ગોઠવાઇ જતા દેશભરમાં ખુશીનુ મોજુ ફરી વળ્‍યું હતુ. અંતિરક્ષના ક્ષેત્રમાં ઇતિહાસ સર્જવાની સાથે સાથેનો ધટનાક્રમ નીચે મુજબ છે. -મંગળયાનને પ્રથમ જ પ્રયાસમાં સફળરીતે મંગળની પરિભ્રમણ કક્ષામાં મુકવામાં સફળતા-આ સફળતા મેળવનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ બન્‍યુ-અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક સિદ્ધીતી વિશ્વના દેશો આશ્ચર્ય ચકિત થયા-વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પોતે ઇસરોના વૈજ્ઞાનિકો અને સંરક્ષણ નિષ્‍ણાંતોની સાથે દિલધડક ઓપરેસન વેળા હાજર રહ્યા -વડાપ્રધાન મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને તેમની રેકોર્ડ સફળતા બદલ અભિનંદન આપ્‍યા-રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જીએ માર્શ મિશનની સિદ્ધીને ઐતિહાસિક સફળતા તરીકે ગણાવી-મોદીએ દેશભરમાં ઉજવણી કરવા માટેની હાકલ કરી-કોઇ ક્રિકેટ કપમાં વિજેતા બનાવ કરતા આ સિદ્ધી હજારો ગણી મોટી હોવાની મોદીએ વાત કરી- માર્શ ર્ઓબિટર મિશન સ્‍પેસક્રાફ્‌ટ એટલે કે મંગળયાનની ગતિ ધીમી કરવામાં આવી હતી.-તેની ગતિને ધટાડીને ૪.૪ કિલોમીટર પ્રતિસેકન્‍ડ કરવામાં આવી હતી-છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષ યાત્રામાં રહેલા ભારતના મંગળ યાનના એન્‍જિનનું હાલમાં સફળ ટેસ્‍ટ ફાયર કરાતા ખુશીનું મોજુ ફરી વળ્‍યું હતુ-ટેસ્‍ટ બાદ ઇસરોએ કહ્યું હતું કે, નિશ્ચિત કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ એન્‍જિનને ચાર સેકન્‍ડ સુધી ખુબ જ સાવધાનીપૂર્વક ચાલુ કરવામાં આવ્‍યું હતું- મંગળ ગ્રહની નજીક પહોંચી ગયેલા મંગળ યાનનું એન્‍જિન સંપૂર્ણપણે સમગ્ર યાત્રા દરમિયાન નિષ્‍ક્રિય હતું પરંતુ હાલમાં તેને ચાર સેકન્‍ડ સુધી ચલાવીને ટેસ્‍ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.-ગયા વર્ષે ૫મી સપ્‍ટેમ્‍બરના દિવસે મંગળયાન લોંચ કરવામાં આવ્‍યા બાદ અંતરિક્ષના હવામાનની સ્‍થિતિનો સામનો કરવામાં સફળતા મેળવી છે-દુરદર્શન પર સમગ્ર વૈજ્ઞાનિક  પ્રક્રિયાનુ જીવતં પ્રસારણ કરવામાં આવ્‍યું હતુ.

25 સપ્ટેમ્બર, 2014

શક્તિ, ભક્તિ, મસ્તીનું પર્વ...નવરાત્રિ

શક્તિ, ભક્તિ, મસ્તીનું પર્વ...નવરાત્રિ



યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:
ઉત્સવો ઉજવવાની પરંપરા માનવ સંસ્કૃતિથી ચાલી આવે છે. આજની ભાગદોડવાળી જીવન શૈલી માટે તો ઉત્સવો મનાવવા ખૂબજ જરૂરી છે. ઉત્સવોથી માનવ જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે. હિન્દુ સંસ્કૃતિના તહેવારોમાં અનેક વિવિધતા જોવા મળે છે. એમાંય નવરાત્રિ જેવા તહેવારની તો વાત જ નિરાળી છે. જગતમાતા મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં શક્તિ, ભક્તિ અને મસ્તીનો અનોખો સંગમ જોવા મળે છે. 
દુર્ગા સપ્તશસિનો ચોથો અધ્યાય કે જે શક્રાદ સ્તુતિ તરીકે ઓળખાય છે. નવરાત્રિમાં હવન અષ્ટમીએ બીડુ હોમતાં બોલાતી આ શક્રાદ સ્તુતિમાં જગત માતા જગદંબા અને નવરાત્રિ પૂજા અર્ચનાનો મહિમા રજુ કરાયો છે. નવરાત્રિમાં મા અંબાના વિવિધ સ્ત્રોતોનું ગાન દુ:ખ દારિદ્ર, શોક-ભય સહિત તમામ સંકટોમાંથી બહાર કાઢનાર તથા વધુ ફળદાયી છે.  
નવરાત્રિમાં નવ દિવસોમાં મા અંબાને શરણે જઇ શક્તિરૂપી મા અંબાની સ્તુતિ કરવાથી જીવન ધન્ય થાય છે. શક્તિની આરાધના કરવા માટે વિવિધ સ્ત્રોત છે જેમાં ભગવત્યષ્ટક, ભવાન્યષ્ટક, આનંદલહરી, ભવાની સ્ત્રોત, શક્રાદય સ્તુતિ, ભગવતી પુશ્પાંજલિ, રાજરાજેશ્વરી, સ્ત્રોત તથા દેવ્યાપરાધ ક્ષમાપન સ્ત્રોત મુખ્ય છે.  
નવરાત્રિમાં શકિત ઉપાસના અને દુર્ગા પૂજાનું સવિશેષ મહત્વ છે. નવ દિવસ ચાલનાર આ શક્તિ પૂજામાં મા અંબાના વિવિધ નવ રૂપની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસની આરાધના શૈલપુત્રીના રૂપમાં કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્માચારીણા, ત્રીજા દિવસે ચન્દ્રઘંટા, ચોથા દિવસે કૃષ્માંડા, પાંચમા દિવસે સ્કન્દમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિધ્ધિદાત્રીની રૂપમાં મા શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે.  
નવરાત્રીમાં મહાલક્ષ્મી અને મા સરસ્વતિની આરાધના પણ કરવામાં આવે છે. જેમાં ગાયત્રી ઉપાસનાનું પણ વધુ મહત્વ છે. એવું કહેવાય છે કે 24 અક્ષરવાળા ગાયત્રી મંત્રની 27 માળા કરવામાં આવે તો એક અનુષ્ઠાન પુરૂ થયું ગણાય છે. 
નવરાત્રીના રસ-ગરબા માટે ઇમેજ પર ક્લિક કરો 
અહી ક્લિક કરો 

Get Update Easy