HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 ઑક્ટોબર, 2017

https://i1.wp.com/happydiwaliwallpaper2017.com/wp-content/uploads/2017/08/diwali-gif-download-site.gif?resize=240%2C320&ssl=1
નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ હતુ કે ૩પ૦૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસ ચુકવવા રાજય સરકારે નિર્ણય લીધો છે. પંચાયત, બોર્ડ નિગમને પણ લાભ થશે. તેમણે જાહેરાત કરી હતી કે સફાઇ કામદારોનું નોકરી દરમિયાન આકસ્‍મીક મોત થાય તો તેઓને ઉંચક રકમ નહી પરંતુ રહેમરાહે નોકરી મળશે. તેમણે કહ્યુ હતુ કે, ૧૬ર નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં સફાઇ કામદારો મોટી સંખ્‍યામાં રોજમદાર છે તેઓને કાયમી કરવા માટે હવેથી રાજય સરકારની પરવાનગી લેવી નહી પડે. મહેકમ ૪૮ ટકાની મર્યાદામાં કાયમી કરી શકાશે.    તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાજયના આઠ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્‍શનરોને કેન્‍દ્રના ધોરણે એક ટકા મોંઘવારી ભથ્‍થામાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ૮.ર૦ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્‍શનરોને ૧-૭-ર૦૧૭થી રોકડમાં મોંઘવારી ભથ્‍થુ ચુકવવામાં આવશે. સરકારે કર્મચારી વર્ગની દિવાળી સુધારી દીધી છે.

Get Update Easy