
દેશમાં
નવી શિક્ષણ નીતિ ઘડાઈ રહી છે જેના માટે કેન્દ્રની નેશનલ એજ્યુકેશન પોલીસી
કમિટીના ચેરમેન સહિતના પાંચ સભ્યોની ટીમે સોમવારે ગાંધીનગરમાં
મુખ્યમંત્રીના બંગલે જઈ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લીધી હતી
જ્યાં ૪૫ મિનિટ સુધી આ ટીમે શિક્ષણના વિવિધ પ્રશ્નો પર ચર્ચા- વિચારણા
કર્યા બાદ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના ઉપાયો હાથ ધરવાનો નિર્ણય કરાયો
છે.
RTE, શિક્ષકો સહિતના વિવિધ પ્રશ્નો કેવી રીતે ઉકેલવા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો હાથ ધરાશે
જે ચર્ચા થઈ હતી તેમાં મુખ્યત્વે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદામાં રહીને સારી રીતે અમલ કરવો, શિક્ષકોના જાતજાતના પ્રશ્નો ઉકેલવા તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકાય તેની ચર્ચા- વિચારણા થઈ છે. આ બધામાં વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રખાયું હતું. જો તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે તો જ તેઓ પોતે આર્થિક રીતે પગભર થઈ શકશે અને સમાજની સેવા કરી શકશે. આગામી ૨૦ વર્ષ પછીના વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ તેનું અનુમાન પણ કરાયું હતું.
કમિટીના ચેરમેન સુબ્રમણ્યમે ગુજરાતના વિવિધ પ્રોજેક્ટો જેમાં ખાસ કરીને કન્યા કેળવણી, ગુણોત્સવ, પ્રવેશોત્સવની સફળતાથી પ્રભાતિ થઈ તેની વાતો કરી છે. ખુદ મુખ્યમંત્રી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નશીલ હોવાનું તેમજ એજ્યુકેશન માટે સરકાર ગુજરાતમાં સારો સપોર્ટ આપતી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ ઉચ્ચ અધિકારીઓને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપવા તેમજ પોઝિટીવ સુચનો કરવાનું જણાવ્યું હતું. સરકાર શિક્ષણ માટે તમામ મદદ કરશે એવી ખાતરી પણ આપી હતી. આ મિટિંગમાં શિક્ષણ સચિવ, સ્કૂલ કમિશ્નર તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા.
બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવા એમ પાંચ રાજ્યોના શિક્ષણ સચિવો પણ કમિટીને મળ્યા હતા. દરેક રાજ્યના સચિવ દ્વારા પોતાના રાજ્યમાં જે કોઈ મુશ્કેલીઓ કે સમસ્યા છે તેની રજૂઆતો કરી હતી. ખાસ કરીને શિક્ષકોની ભરતી, રજાના પ્રશ્નો વગેરેની વાતો મુખ્ય હતી. ઉપરાંત વહીવટી કાર્યવાહીમાં થતા સરકારી હસ્તક્ષેપ અંગે પણ રજૂઆત કરી હતી.
કોલેજ તથા યુનિવર્સિટીના VC ઓને સ્વાયત્તતાની ફરજ બજાવવા દેવી જોઈએ તો જ તેઓ સક્રિય થઈને કામગીરી કરી. નિયંત્રણો ન હોવા જોઈએ બપોર પછી કેન્દ્રીય ટીમને ગુજરાતના શિક્ષણવિદો સાથે પણ મુલાકાત કરી હતી.
જેમાં કમિટીએ આ નવી શિક્ષણ નીતિ માટે સૂચનો મંગાવ્યા હત. હવે આવતીકાલે મંગળવારે ટીમ અમદાવાદની વિવિધ સ્કૂલોની મુલાકાત લેશે. સવારે મીઠાખળીમાં આવેલી મહાત્મા ગાધી ઇન્ટનેશનલ સ્કૂલ, છારોડીની સ્માર્ટ સ્કૂલની તેમજ બપોર પછી મણિનગરની કેટલીક સ્લમ સ્કૂલોની મુલાકાત લેશે.
RTE, શિક્ષકો સહિતના વિવિધ પ્રશ્નો કેવી રીતે ઉકેલવા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો હાથ ધરાશે
જે ચર્ચા થઈ હતી તેમાં મુખ્યત્વે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદામાં રહીને સારી રીતે અમલ કરવો, શિક્ષકોના જાતજાતના પ્રશ્નો ઉકેલવા તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકાય તેની ચર્ચા- વિચારણા થઈ છે. આ બધામાં વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રખાયું હતું. જો તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે તો જ તેઓ પોતે આર્થિક રીતે પગભર થઈ શકશે અને સમાજની સેવા કરી શકશે. આગામી ૨૦ વર્ષ પછીના વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ તેનું અનુમાન પણ કરાયું હતું.
કમિટીના ચેરમેન સુબ્રમણ્યમે ગુજરાતના વિવિધ પ્રોજેક્ટો જેમાં ખાસ કરીને કન્યા કેળવણી, ગુણોત્સવ, પ્રવેશોત્સવની સફળતાથી પ્રભાતિ થઈ તેની વાતો કરી છે. ખુદ મુખ્યમંત્રી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નશીલ હોવાનું તેમજ એજ્યુકેશન માટે સરકાર ગુજરાતમાં સારો સપોર્ટ આપતી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ ઉચ્ચ અધિકારીઓને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપવા તેમજ પોઝિટીવ સુચનો કરવાનું જણાવ્યું હતું. સરકાર શિક્ષણ માટે તમામ મદદ કરશે એવી ખાતરી પણ આપી હતી. આ મિટિંગમાં શિક્ષણ સચિવ, સ્કૂલ કમિશ્નર તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા.
બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવા એમ પાંચ રાજ્યોના શિક્ષણ સચિવો પણ કમિટીને મળ્યા હતા. દરેક રાજ્યના સચિવ દ્વારા પોતાના રાજ્યમાં જે કોઈ મુશ્કેલીઓ કે સમસ્યા છે તેની રજૂઆતો કરી હતી. ખાસ કરીને શિક્ષકોની ભરતી, રજાના પ્રશ્નો વગેરેની વાતો મુખ્ય હતી. ઉપરાંત વહીવટી કાર્યવાહીમાં થતા સરકારી હસ્તક્ષેપ અંગે પણ રજૂઆત કરી હતી.
કોલેજ તથા યુનિવર્સિટીના VC ઓને સ્વાયત્તતાની ફરજ બજાવવા દેવી જોઈએ તો જ તેઓ સક્રિય થઈને કામગીરી કરી. નિયંત્રણો ન હોવા જોઈએ બપોર પછી કેન્દ્રીય ટીમને ગુજરાતના શિક્ષણવિદો સાથે પણ મુલાકાત કરી હતી.
જેમાં કમિટીએ આ નવી શિક્ષણ નીતિ માટે સૂચનો મંગાવ્યા હત. હવે આવતીકાલે મંગળવારે ટીમ અમદાવાદની વિવિધ સ્કૂલોની મુલાકાત લેશે. સવારે મીઠાખળીમાં આવેલી મહાત્મા ગાધી ઇન્ટનેશનલ સ્કૂલ, છારોડીની સ્માર્ટ સ્કૂલની તેમજ બપોર પછી મણિનગરની કેટલીક સ્લમ સ્કૂલોની મુલાકાત લેશે.