HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 ડિસેમ્બર, 2015


 ૨૩ ડિસેમ્બરે યોજાનારી સભામાં ધો-૧૦માં ગણિતનો સમય વધારવા પ્રશ્ન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી સામાન્ય સભા ૨૩ ડિસેમ્બરે મળશે. સભામાં બોર્ડના સભ્યોએ પોતાના પ્રસ્તાવો અને પ્રશ્નો બોર્ડને મોકલી આપ્યા છે. જેમાં એક સભ્યએ એલ.સી. અંગેના બે પ્રસ્તાવો રજૂ કર્યા છે. જ્યારે ધો-૧૦માં ગણિતમાં સમય વધારવા અને પરીક્ષાના ફોર્મ વહેલા ભરાતા હોઈ તે બીજા સત્રમાં ભરાય તે અંગે પણ પ્રશ્નો પુછાયા છે.
આ સભામાં બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટ દ્વારા ત્રણ પ્રસ્તાવો રજૂ કરાયા છે. જેમાં ધો-૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી એલ.સી. લઈ ગયા બાદ જો એલ.સી. ખોવાઈ જાય ત્યારે તેને સોગંદનામુ કરવું પડતું હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી કે વાલી સોગંદનામા પ્રકારની બાંહેધરી સાદા કાગળમાં આપે તો તેને એલ.સી. આપવું જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કરાયો છે. જ્યારે શિક્ષણ બોર્ડની બેઠકો વખતે પ્રેસ પ્રતિનિધિઓને પ્રવેશ આપવામાં આવે તે અંગે પ્રસ્તાવ કરાયો છે. જ્યારે ડો. પ્રિયવદન કોરાટે ધો-૧૦માં ગણિત વિષયને લઈને પ્રશ્ન ઊભો કર્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે ધોરણ-૧૦માં OMR પધ્ધતિમાં તમામ વિષયો માટે સરખો સમય ફાળવાય છે ત્યારે ગણિતમાં ગણતરી કરવાની થતી હોવાથી ગણિત વિષય પુરતો સમય વધારવાનું બોર્ડ વિચારે છે કે કેમ તે અંગે જવાબ માંગ્યો છે. ઉપરાંત બોર્ડની પરીક્ષા માટેના આવેદનપત્રો વર્ષની શરૂઆતમાં જ ભરાઈ જતાં હોઈ ફોર્મ ભરાયા બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવતા નથી જેથી પરીક્ષાના ફોર્મ બીજા સત્રમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ભરાય તે અંગે બોર્ડ વિચારે છે કે કેમ તેવો પ્રશ્ન પુછ્યો છે. બોર્ડના સભ્ય વાલા ખેરે સાયન્સ સેમેસ્ટરની પરીક્ષામાં આન્સર કીમાં ભૂલના કારણે ગ્રેસિંગ આપવાનું નક્કી કરાયું છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો છે. ઉપરાંત બોર્ડ સભ્ય ડો. હરેશકુમાર વાઢેળે પ્રશ્ન કર્યો હતો કે, જુલાઈમાં બોર્ડના ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂરી થાય છે ત્યારે નવા જિલ્લાઓ અમલમાં આવવાના લીધે મતદાર યાદી તૈયાર કરવાની કાર્યવાહી કરવાની થાય તો બોર્ડ મતદારયાદી તૈયાર કરવાનું વિચારે છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.

 ગાંધીનગર તા. ૧૭ : રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્‍સાહિત કરવા તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને અપાતા ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' પસંદગી માટેના માપદંડોમાં ફેરફાર કરાયા છે. સુધારેલા માપદંડોમાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્‍કાર માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો-આચાર્યો માટે ગુણોત્‍સવમાં ઓછામાં ઓછા એ અથવા બી ગ્રેડ મેળવ્‍યા હોય તેવી શાળાઓના શિક્ષકો-આચાર્યો તેમજ માધ્‍યમિક-ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષક માટે પોતાના વિષયનું બોર્ડનું પરિણામ જે વિભાગ માટે અરજી કરી હોય તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ ટકાથી વધુ અને શાળાનું પરિણામ ૮૦ ટકાથી વધુ હોવું જોઈએ.
   શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં પસંદગી માટેની સુધારેલી જોગવાઈ મુજબ શિક્ષકો, સી.આર.સી, કેળવણી નિરીક્ષક ઉપરાંત આ વખતે બી.આર.સી., મદદનીશ કેળવણી નિરીક્ષકનો પણ સમાવેશ કરાયો છે. સરકારી પ્રાથમિક-માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્‍કાર માટે ૧૫ વર્ષનો અનુભવ જરૂરી છે. માધ્‍યમિક-ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના આચાર્યો, સી.આર.સી, બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક (માધ્‍યમિક) અને કેળવણી નિરીક્ષક માટે કુલ ૧૫ વર્ષના અનુભવમાં જે તે જગ્‍યા ઉપરનો ૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ. અપંગ કેટેગરી માટે ૧૫ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ નક્કી કરવામાં આવ્‍યો છે.
   શ્રેષ્ઠ શિક્ષક પુરસ્‍કારની પસંદગી માટે પ્રથમવાર રાજયમાં ૪ સુધારેલી જોગવાઇ મુજબ ઝોનની રચના કરવામાં આવી છે. ઝોન-૧ના શહેરી વિસ્‍તારવાળા ૭ જિલ્લાઓમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર અને જૂનાગઢ; ઝોન-૨ના નવા ૭ જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા; ઝોન-૩ના ૯ જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ તેમજ ઝોન-૪ના ૧૦ જિલ્લાઓમાં મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરેન્‍દ્રનગર, અમરેલી, પોરબંદર અને કચ્‍છનો સમાવેશ થાય છે.
  

ઝાકળ ઘણું શીખવી જાય છે
જિંદગી તો માત્ર એક પેઢીની જ હોય છે પણ સારું કામ પેઢી દર પેઢી ચાલે છે. (જાપાનીઝ કહેવત)
વહેલી પરોઢે પુષ્પ પર ઝાકળનાં બિંદુઓ જગતનું સ્વાગત કરતાં હોય તેમ ઊભાં હોય છે. ક્યારેક ઝાકળનાં આ બિંદુને પણ ગુલાબની પાંદડીઓ પર કવિની જેમ કવિતા લખવાનું મન થતું હશે. હિન્દીના ખૂબ જ જાણીતા સાહિત્યકાર શ્રી કેદારનાથે સુંદર કવિતા લખી છે, "ઓસબુંદ કહતી હૈ લિખ દું નવગુલાબ પર મન કી બાત. કવિ કહતા હૈ મૈં ભી લિખ દું, પ્રિય શબ્દો મેં મન કી બાત. ઓસબુંદ લિખ સકી નહીં કુછ, નવગુલાબ હો ગયા મલીન, પર કવિને લિખ દિયા ઓસ સે નવગુલાબ પર કાવ્ય મલીન." ઝાકળ પોતે તો નથી લખી શકતું પણ એક કવિ ઝાકળની શાહ દ્વારા ગુલાબની પાંદડીઓ પર કાવ્ય સર્જી દે છે.
ઝાકળ આપણને ઘણું બધું શીખવી જાય છે. દરેક ઝાકળનો અંત સૂર્યનો સામનો હોય છે, તે ક્યારેય સૂર્ય સામે લડી શકવાનું નથી, સૂર્યનાં કિરણો આવતાંની સાથે ઝાકળે ઊડી જવાનું હોય છે. આપણી જિંદગીમાં પણ જ્યારે મૃત્યુનો સૂરજ માથે ચડે છે ત્યારે જિંદગીએ આથમવું પડતું હોય છે ત્યારે જીવન ઝાકળ જેમ ઊડી જાય છે. દરેક માણસનું જીવન પુષ્પ પરનાં ઝાકળથી વધારે કંઈ જ નથી. તેમણે પોતાનું આ ઝાકળપણું નિભાવીને જિંદગી નામનાં ફૂલ પર કશુંક લખીને જવાનું છે. જાપાનમાં એક કહેવત છે, "જિંદગી તો માત્ર એક પેઢીની જ હોય છે પણ સારું કામ પેઢી દર પેઢી ચાલે છે." ઝાકળ ઘડીભર ટકીને પુષ્પને તાજગી આપી જાય છે. ફૂલ અને ઝાકળ પ્રતીક છે. પાયામાં તો જીવન છે. પ્રકૃતિ જ બધું શીખવી જતી હોય છે જો આપણે તેમાંથી શીખીએ તો. રાતનાં તોફાનમાં વૃક્ષનાં પીળાં પાંદડાંઓ તૂટીને નીચે ધરતી પર પડતાં હોય છે. ઝાકળ તો વહેલી પરોઢે તેના પર પણ ચમકતું હોય છે, ગુલાબનાં ફૂલ પર હોય તે જ રીતે. તેને મન ભેદ નથી સૂકાયેલાં ઝીર્ણ પાંદડાનો કે તાજા ગુલાબનો.
ઝાકળ એ કુદરતનો કક્કો છે જે પાંદડે પાંદડે ને વૃક્ષે વૃક્ષે એક નોખી-અનોખી રીતે લિપિબદ્ધ થાય છે. એ પ્રકૃતિએ સારેલાં હર્ષનાં આંસુ છે, એટલે જ તો મીઠાં છે. માણસે આંસુ સાર્યાં તો ખારાં થયાં. પ્રકૃતિ વહેલી પરોઢે કોઈ આનંદઘેલું પ્રભાતિયું લલકારે ત્યારે તે ઝાકળ સ્વરૂપે વૃક્ષે-વક્ષે અને પાને પાને આવીને બેસતું હશે કદાચતો જ તેમાં આટલી હળવાશ અને નરમાશ હોયને. તેની ભીનાશ ચાખીને જ ઝાડ જાગે છે. ઝાકળ, આંસુ અને જળ એ એક રીતે જોઈએ તો પાણી જ છે પણ તે બધાને એચટુઓની વ્યાખ્યામાં બાંધવાના પ્રયાસો મિથ્યા છે. ઝાકળને મળવા માટે કૂંપળ જેવા થવું જરૂરી છે. તમે સૂરજ જેવો તાપ રાખીને તેની પાસે જશો તો તે ક્યારેય નહીં મળે. જિંદગીના ઘણા એવા કોમળ ભાવો હોય છે, તેને પામવા માટે તમારે વહેલી સવાર જેવા થઈને તેમની પાસે જવું પડે છે.
ક્યારેક એવો પ્રશ્ન પણ થાય કે આખી રાત રડયા પછી ઈશ્વર આમ સવારે ઝાકળરૂપે આંસુ સારતો હશે કે શું ? રાતનાં અંધકારમાં ઈશ્વર કોને જોઈને-કોને સ્મરીને આંસુ સારતો હશે ? અથવા તો કદાચ એમ પણ બની શકે ને કે આખી રાત ઈશ્વરને ડૂમો ભરાઈ રહ્યો હોય, આંસુ ન સારી શક્યો હોય ને એ આંસુ સવારે ઝાકળ થઈને પુષ્પો પર ઊપસી આવ્યાં હોય ! એવું પણ કહી શકાય કે પ્રકૃતિ પણ ગિફ્ટ આપવામાં માનતી હોય છે. વૃક્ષ જ્યારે પોતાની પર બાઝેલું ઝાકળ આકાશને ઝાકળની ભેટ ધરે છે ત્યારે સૂર્યનાં કિરણો આવીને એને પ્રેમથી લઈ જાય છે અને એ જ ભેટને સમય આવતાં વરસાદરૂપે પરત પણ કરી આપે છે. કોઈ કવિ એવી કલ્પના પણ કરી શકે કે ઈશ્વરને જ્યારે જગતને સ્પર્શવાનું મન થયું ત્યારે એ ઝાકળ થયો ને ઝાડ, પાન, ડાળ ને જગતની દરેક ચીજ પર મોતીની જેમ ઊપસી આવ્યો. ઈશ્વરને સમજવામાં માણસની સમજશક્તિ હંમેશાં ધૂંધળી અને સાવ ઝાંખી રહી છે. કદાચ એટલે જ સવારના ભેજ સમયે આખું વાતાવરણ ધૂંધળું થઈ જતું હશે. ઝાકળ એટલે ઈશ્વરની હાજરી.
સવારમાં પુષ્પો પર ને વિવિધ જગ્યાએ મોતીની જેમ બાઝેલાં ઝાકળબિંદુઓ સૂર્યનાં કિરણો આવતાંની સાથે જ અદૃશ્ય થઈ જાય છે. ઝાકળ અને સૂર્યકિરણો યુગોથી જાણે એકબીજાની સાથે સંતાકૂકડી રમી રહ્યાં છે. રોજ ઝાકળ સવારના સૂરજ ઊગ્યાં પહેલાના ભળભાંખળામાં આખી પ્રકૃતિમાં સંતાઈ જાય છે એને શોધવા કિરણ આવે છે, પરંતુ એ આવતાંની સાથે જ ઝાકળ તો અદૃશ્ય થઈ જાય છે. આખો દિવસ સૂરજ ઝાકળને શોધ્યા કરે છે ન મળતાં બપોરે એનો ગુસ્સો સાતમે આકાશે પહોંચી જાય છે. છેવટે શોધી શોધીને એ થાકે છે, ઝાંખો પડે છે અને ઘર તરફ પાછો ફરે છે. જેવો સૂરજ પાછો ફરે છે કે ઝાકળ એની તૈયારીઓ ચાલુ કરી દે છે અને પરોઢ થતાં સુધીમાં એ એક નવા રૂપ સાથે હળવું હળવું સ્મિત વેરતું આવી પહોંચે છે. આખી રાત થાક ખાધા પછી વળી સૂર્યને ઝાકળનું સ્મરણ થાય છે, એટલે એ ફરી પોતાનાં કિરણોને પ્રકૃતિ પાસે મોકલે છે, ને ફરી ઝાકળ અદૃશ્ય થઈ જાય છે. યુગોથી આ ચક્ર ચાલી રહ્યું છે.

Get Update Easy