કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધા પછી અર્જુનને અહંકાર થઈ ગયો હતો
કે તે જ માત્ર ઈશ્વરનો સાચો ભક્ત છે. એક દિવસ અર્જુન બહાર ફરવા માટે
નીકળ્યો. રસ્તામાં તેણે એક વ્યક્તિ જોઈ જેની કમર પર તલવાર લટકતી હતી અને
તેઓ સૂકું ઘાસ તોડીને ખાતા હતા. આ જોઈને અર્જુનને ખૂબ જ આશ્ચર્ય થયું.
અર્જુને તે વ્યક્તિને પ્રશ્ન કર્યો, "તમે તો શુદ્ધ સાત્ત્વિક મનુષ્ય છો. તમે સ્વાદ પર વિજય મેળવી લીધો લાગે છે, પણ મારી સમજમાં નથી આવતું કે તમે આ તલવાર શા માટે ધારણ કરી છે?"