HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

6 માર્ચ, 2015


http://festoworld.com/wp-content/uploads/2015/02/Holi-Hai-Wallpaper-1024x768.jpg
 Happy Holi!

આજનો વિચાર

  • સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે.


હિરણ્‍યકશ્‍યપ નામે રાજા... જાણે દૈત્‍યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્‍ત પ્રહલાદ... પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્‍ત... બન્‍ને પોતાની જીદ પર અડગ... પિતા એ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્‍યાના કર્યાના અનેક પ્રયાસ...
પરંતુ આ તો સાચો પ્રભુ ભકત બહેન હોલીકા ની મદદથી હીરણ્‍કશ્‍યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્‍ટુ હોલીકા થઇ બળીને ભસ્‍મ અને પ્રભુભકત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્‍યો હસતો રમતો.
પ્રજાજનો એ મનાવ્‍યો આનંદોત્‍સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે ત્‍યારથી ફાગનસુદ પુનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્‍ધ સૌ હોશે હોંશે ઉજવે છે. 

પાનખરમાં વસંત...રંગ...ગુલાલનું પર્વ એટલે જ હોળી... ધુળેટી...

  

હિરણ્‍યકશ્‍યપ નામે રાજા... જાણે દૈત્‍યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્‍ત પ્રહલાદ... પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્‍ત... બન્‍ને પોતાની જીદ પર અડગ... પિતા એ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્‍યાના કર્યાના અનેક પ્રયાસ...
પરંતુ આ તો સાચો પ્રભુ ભકત બહેન હોલીકા ની મદદથી હીરણ્‍કશ્‍યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્‍ટુ હોલીકા થઇ બળીને ભસ્‍મ અને પ્રભુભકત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્‍યો હસતો રમતો.
પ્રજાજનો એ મનાવ્‍યો આનંદોત્‍સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે ત્‍યારથી ફાગનસુદ પુનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્‍ધ સૌ હોશે હોંશે ઉજવે છે.

 

ભારતીય તહેવારો સાથે સંકળાયેલી માન્યતાઓ અને કથાઓ તેમની ઉત્પત્તિ પર પ્રકાશ નાખે છે. કદી લેખિત તો કદી મોખિક આ કથાઓ પેઢી દર પેઢી વારસો બનતી જાય છે. આ પ્રાચીન તહેવાર પર નજર નાખો તો કેટલાય નામ મળશે. શરૂના નામો 'હોળાકા', પછી 'હુતાશ્ની', 'ફાલ્ગુનિકા', 'હોળીકાત્સોવ', 'થી લઈને આજની 'હોળી' સુધી. આ હોળી સાથે સંકળાયેલા બે પ્રસંગો અમે રજૂ કરીએ છીએ -
પ્રથમ કથા - બાળકોને બીવડાવતી હતી રાક્ષસી -
યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યુ - ફાગણ પૂર્ણિમાએ દરેક ગામ અને નગરમાં એક ઉત્સવ કેમ થાય છે. દરેક ઘરમાં બાળકો કેમ મસ્તીમાં ખોવાય જાય છે, અને હોળિકા કેમ સળગાવવામાં આવે છે, આમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે.,. અને આને 'અડાડા' કેમ કહેવામાં આવે છે ? શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને રાજા રધુના વિશે એક દંતકથા સંભળાવી. રાજા રધુ પાસે લોકો એ ફરિયાદ લઈને ગયા કે 'ઢોળ્ડા' નામની એક રાક્ષસી બાળકોને દિવસ-રાત સતાવતી રહે છે. રાજા દ્વારા પૂછવામાં આવતા તેમણે પુરોહિતે જણાવ્યુ કે પેલી માળીની છોકરી એક રાક્ષસી છે, જેણે શિવે વરદાન આપ્યુ છે કે તેને દેવ, માનવ, વગેરે નહી મારી શકે અને ન તો કોઈ શસ્ત્ર તેને મારી શકે કે ન તો ઠંડી, ગરમી કે વરસાદ તેને મારી શકે છે, પરંતુ શિવે એટલુ કહ્યુ કે તે રમતા બાળકોથી બી શકે છે. પુરોહિતે જણાવ્યુ કે ફાગણની પૂનમના રોજ શિયાળો સમાપ્ત થાય છેઅ એન ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે.
ત્યારે લોકો હંસે અને આનંદ મનાવે. બાળકો લાકડીના ટુકડા લઈને બહાર આનંદપૂર્વક નીકળી પડે. લાકડીઓ અને ઘાસ ભેગા કરે. રક્ષા મંત્રોની સાથે તેમા આગ લગાવે, તાળિઓ વગાડે, અને અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા કરે. ખૂબ હસે અને મસ્તી, અટ્ટહાસ્ય કરવાથી તે રાક્ષસી મરી જશે. જ્યારે રાજાએ આ બધુ કર્યુ તો રાક્ષસી મરી ગઈ અને તે દિવસને અડાડા કે હોળિકા કહેવામા આવી.
બીજી કથા - હોળિકા અને પ્રહલાદ
આ તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દયી હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો હતો કે તેઓ પણ એની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે લોકો આવુ ન કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને એ નિર્દયીએ ધમકાવ્યો અને પછી તેની પર અનેક દબાણો કર્યા કે તે વિષ્ણુની ભક્તિ છોડી હિરણ્યકશ્યપની પૂજા કરે. પણ પ્રહલાદને તો પોતાના ઈશ્વર પર શ્રધ્ધા હતી તેથી તે પોતાની ભક્તિથી ડગમગાયા વગર વિષ્ણૂની જ પૂજા કરતો.
બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને મારવાનો વિચાર કર્યો. તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહી. છેવતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનુ વરદાન હતુ તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દયી રાજાએ બધી બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી દીધી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી બળવા લાગી, ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસે. હોળીકાએ એવુ જ કર્યુ. મગર દેવયોગથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળીકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવતા આવી રહ્યા છે.

Get Update Easy