HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

4 માર્ચ, 2015

આજનો વિચાર

  • બીજા ની સાથે એવું વર્તન કરો જેવા વર્તન ની તમે તેની પાસે અપેક્ષા રાખો છો .

બોર્ડ દ્વારા ૪ માર્ચના રોજ વિદ્યાર્થીઓને હોલ ટિકીટનું વિતરણ કરવામાં આવનાર છે

 શિક્ષણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે બોર્ડ દ્વારા ૪ માર્ચના રોજ વિદ્યાર્થીઓને હોલ ટિકીટનું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે વિદ્યાર્થીઓને સ્વાઈન ફ્લૂને અટકાવવા તથા તેની જાણકારી માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. સાથોસાથ હોલ ટિકીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને આર્યુવેદીક ઉકાળો અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ૧૨ માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા વખતે આરોગ્ય વિભાગ દ્વારા દરકે પરીક્ષા સેન્ટર પર માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ફ્લૂના લક્ષણો જણાશે તેમણે તથા શિક્ષકોએ પરીક્ષા વખતે ફરજીયાત માસ્ક પહેરવાનો રહેશે.
શિક્ષણ બોર્ડની ૧૨ માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા વખતે સ્વાઈન ફ્લૂના રોગચાળાને ધ્યાનમાં લઈને રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્વાઈન ફ્લૂને અટકાવવા તથા તેના રોગને અટકાવવાની જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકીટ સાથે કરવામાં આવશે. ઉપરાંત તેની સાથે વિદ્યાર્થીઓને આર્યુવેદીક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું પણ વિતરણ હોલ ટિકીટ સાથે કરાશે.
૧૨ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા વખતે પરીક્ષા કેન્દ્રો પર માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવા સફાઈની ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી સુચના દરેક ડીઈઓને આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના દિવસે ફ્લૂના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજીયાત માસ્ક પહેરવાનો રહેશે. બોર્ડના ચેરમેન આર.આર. વરસાણીએ જણાવ્યું હતું કે, બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકીટ લેવા માટે જશે ત્યારે પત્રિકાઓનું વિતરણ કરાશે, આર્યુવેદીક ઉકાળા અને હોમિયોપેથીક દવા આપવામાં આવશે.
Download Gujarat Rozgaar Samachar E-Paper 04-03-2015




Gujarat Information Department has Published Gujarat Rozgaar Samachar of the day of 04-03-2015,Download Gujarat Rozgaar Samachar For Govt.jobs of Gujarat. 

Download Gujarat Rozgaar Samachar E Paper : Click Here





Get Update Easy