HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 નવેમ્બર, 2014

DNA ની રચના - video

Though of the day

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.
 
10 નવે.થી ધો.10-12ની બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરાશે.
 ધોરણ-10 અને ધોરણ-12ની આગામી માર્ચ-2015માં લેવામાં આવનારી પરીક્ષા માટે 10 નવેમ્બરથી ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. વેકેશન પૂર્ણ થતાની સાથે જ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરાશે. આ માટે બોર્ડે તાજેતરમાં સ્કૂલોને ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ પણ મોકલી દીધા છે. આ વખતે ખાનગી ઉમેદવારો પણ કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા માટેના ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માર્ચ-2015માં લેવામાં આવનાર છે. પરીક્ષાને આડે હજુ ઘણા મહિના બાકી છે પરંતુ બોર્ડ દ્વારા અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી દેવાશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા ધોરણ-10ના ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી 10 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફોર્મ 15 નવેમ્બરથી ભરાવવામાં આવશે.
ધોરણ-10માં માર્ચ-2014ની પરીક્ષામાં સાડા નવ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે આ વખતે આ આંકડો 10 લાખને પણ પાર કરી જાય તેવી શક્યતાઓ વતર્ઈિ રહી છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ માર્ચ-2014ની પરીક્ષામાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
જોકે આ વખતે તેમને આંકડો પણ સવા પાંચ લાખ જેટલો થાય તેવી શક્યતાઓ છે. આ વખતે ખાનગી ઉમેદવારોને પણ નિયત કરેલી સ્કૂલોના બદલે કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા માટેના ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
DNA
( ડીઓકસી રીબોન્યુક્લિક
એસિડ) વિષે વિસ્તૃત માહિતી મેળવો -Video ફાઇલ 
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો 
ઉધરસ – ખાંસી / Cough (Khansi)નો ઉપચાર
  • કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
  • કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
  • લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
  • લવીંગને મોંમા રાખી ચુસવાથી ઉધરસ મટે છે.
  • મરીનું ચુર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
  • મરીનું ચુર્ણ, સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
  • એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
  • થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
  • દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચુસવાથી ઉધરસ મટે છે.
  • લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી કાળી ઉધરસ (હપીંગ કફ) મટે છે.
  • લસણના ૨૦ થી ૨૫ ટીપાં રસ, શરબતમાં મેળવી દિવસમાં ચાર-ચાર કલાકને અંતરે પીવાથી કાળી ઉધરસ (હપીંગ-કફ) મટે છે.
  • દાડમના ફળની છાલનો ટુકડો મોંમા રાખી ચુસવાથી ઉધરસ મટે છે.
  • આમલીના ચીંચોડાને શેકી તેના છોતરાં કાઢી નાંખી, ચીચોડાનું બારીક ચુર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસના કફમાં લોહી પડતું હોય તો મટે છે.
  • રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.
  • ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
  • ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
  • અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે, અને ઉધરસ મટે છે.
  • થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
  • હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા રાત્રે સુતી વખતે ખાવાથી (ઉપરથી પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
  • હળદર અને સુંઠ સવાર-સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
  • હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચુસવાની કફની ખાંસી મટે છે.
  • નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
  • તુલસીના રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે.
  • રાત્રે થોડાક ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સુઈ જવાથી ઉધરસ મટે છે.
  • અડુરસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.




 
 
 




Get Update Easy