બોધ કથાઓ
એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .
આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ !
નવાણુંના ચક્કરમાં
એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .
આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ !
લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .
મનની એકાગ્રતા
સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ
 પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને
 મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે 
તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી
 નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે 
દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય .
 નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા 
જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક
 છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . 
છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન
 લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ 
ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં 
પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા. 
છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે 
રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય 
કરવા માટે મનની એકાગ્રતા કેળવો .” જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ 
કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ 
નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ
 થયો .
ઠંડુ પાણી , કાન અને ફટાકડા
એક શેઠે ખૂબ ખર્ચ કરીને શ્રીમદ 
ભાગવત સપ્તાહ કરાવી . કથા આરંભ થતાં પહેલાં સંકલ્પ માટે એમને ઠંડા પાણીથી 
સ્નાન કરાવવામાં આવ્યું . એ વખતે થોડુંક પાણી એમના કાનમાં ગયું તેથી 
સંભળાતું બંધ થઇ ગયું 
આથી આખી કથા દરમ્યાન તેઓ કેવળ 
બેઠા જ રહ્યા , કશું સંભળાતું તો હતું નહી એમને ! સપ્તાહને છેલ્લે દિવસે 
લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા એના ધડાકાથી શેઠજીના કાન ખૂલી ગયા !
બધા જ કંઈ ભાગવત કથા સાંભળી શકતા નથી . જેના પુણ્યનો ઉદય થયો હોય તે જ માણસ કથા સાંભળવા પામે છે .આત્મ સંયમ
અરબસ્તાનનો એક કવિ અલ કોસઈ રણમાં 
રહેતો હતો . એક દિવસ નાબાનું એક સુંદર ઝાડ એના જોવામાં   આવ્યું . એ ઝાડની 
ડાળીઓમાંથી તેણે એક ધનુષ્ય તથા બાણ બનાવ્યાં .
રાત પડી એટલે એ ધનુષ બાણ લઇ તે 
જંગલી ગધાઓનો શિકાર કરવા નીકળી પડ્યો . થોડી જ વારમાં એણે ગધેડાનાં એક 
ટોળાનાં પગલાંઓનો અવાજ સાંભળ્યો . અને તેણે એક તીર છોડ્યું .એણે એટલા જોરથી
 ધનુષ ખેંચીને તીર છોડ્યું કે તે ગધેડાના શરીરને વીંધીને આરપાર નીકળી ગયું 
અને પાસેના પથ્થર સાથે જોરથી અફળાયું . બાણના એ અફળાવાનો અવાજ સાંભળીને અલ 
કોસઈએ વિચાર્યું કે મારો ઘા ખાલી ગયો છે . એટલે એણે બીજું તીર છોડ્યું . એ 
તીર પણ એક બીજા ગધેડાને વીંધી આરપાર નીકળી ગયું અને પથ્થર સાથે અફળાયું . 
અલ કોસઈએપાછું ફરી ધાર્યું કે એનો ઘા ખાલી ગયો છે . એટલે એણે પાછું ત્રીજું
 બાણ છોડ્યું , ચોથું  બાણ છોડ્યું , પાંચમું છોડ્યું . અને હરેક વખત તેને 
પેલા જેવો પથ્થર સાથે અફળાવાનો અવાજ સંભળાયો . એમ પાંચમી વાર પણ જયારે એને 
પોતાનું તીર ખાલી જતું દેખાયું ત્યારે એણે ક્રોધમાં આવીને પોતાનું ધનુષ જ 
તોડી નાખ્યું .
બીજે દિવસે સવારે આવીને તેણે જોયું તો પેલા પથ્થર પાસે પાંચ ગધેડાં મરેલાં પડ્યાં હતાં .એનામાં જો થોડીક વધુ ધીરજ હોત , સવાર થાય ત્યાં સુધી એ જો રાહ જોઈ શક્યો હોત તો એ પોતાના મનની શાંતિ બચાવી શક્યો હોત અને સાથે સાથે પોતાનું ધનુષ પણ બચાવી શક્યો હોત .
સાડા તેવીસ કલાકનો બાદશાહ !
એક મહાત્મા હતા ,એ કહેતા – અમે તો સાડા તેવીસ કલાકના બાદશાહ ! ‘ લોકો પૂછતા – મહારાજ , આપ પૂરા ચોવીસ કલાક કેમ નથી કહેતા ? ‘
મહારાજનો ઉત્તર : ‘ અડધી કલાક ભોજનના સમયની છે  . એ વખતે તો અમારે ભિક્ષા માંગવી પડે છે . એથી એટલો સમય અમે બાદશાહ કેમ  કહેવાઇએ ? ‘
મહાત્માઓના
 અહંકારને ઓગાળવા માટે ભિક્ષાવૃત્તિનો નિયમ કરવામાં આવ્યો છે . મહાત્મા 
પોતાને ગમે તે માને પણ ભિક્ષાવૃત્તિ માટે તો અહંકારને અળગો કરવો જ પડે . 
કોઈએ સરસ કહ્યું છે કિતની ચીડીયા ઉડે આકાશ , દાના હૈ ધરતી કે પાસ !
બાળકની બારાક્ષરી !
એક નગર હતું , જેમાં તમામ જાતિ – 
સમુદાયના લોકો ખૂબ સંપ અને હેતથી રહેતા હતા . સૌ એકબીજાના ધર્મ પ્રત્યે 
ભારે આદરભાવ ધરાવતા હતા . એક દિવસની આ વાત છે . ચર્ચમાં પાદરીએ જોયું કે એક
 નાનું બાળક ઇસામસીહની પ્રતિમા સામે હાથ જોડીને કંઇક ગણગણી રહ્યું હતું . 
પાદરીને બાળકના હાવભાવ જોઈને ખૂબ નવાઈ લાગી . પાદરીના મનમાં અનેક સવાલો 
દોડવા લાગ્યા . તેઓ ધીરેથી બાળકની પાસે જઈને ચૂપચાપ ઘૂંટણે પડી બેસી ગયા . 
બાળકે થોડીક વારમાં આંખો ખોલી . પાદરીએ હેતથી પૂછ્યું , બેટા તે ઇસામસીહને 
કઈ પ્રાર્થના ભેટ ધરી ? 
બાળકે પોતાની કાલીઘેલી ભાષામાં 
કહ્યું , મને કોઈ પ્રાર્થના નથી આવડતી ! આ સાંભળી પાદરીને વધારે જિજ્ઞાસા 
થઇ . તેમણે બાળકને ફરીથી પૂછ્યું , બેટા તો પછી તું હાથ જોડીને ઇસામસીહને 
શું કહેતો હતો ? બાળકે કહ્યું , હું તો ઇસામસીહ સમક્ષ બારાક્ષરી બોલતો હતો .
 પાદરીએ પૂછ્યું , બેટા બારાક્ષરી શા માટે ? બાળકે જવાબમાં કહ્યું , હવે 
ઇસામસીહને જે પ્રાર્થના ગમશે તે આ બારાક્ષરીમાંથી બનાવી લેશે .
બાળકની આ વાત સાંભળી પાદરી ગદગદ 
થઇ ગયા . તેઓ સ્વત્: બોલી ઉઠ્યા , મારી આટલાં વર્ષોથી ઇસામસીહને કરેલી તમામ
 પ્રાર્થનાઓ આગળ આ બાળકની બારાક્ષરી ઇસામસીહે પ્રથમ સ્વીકારી હશે .
જેમ
 દરેક લાકડામાં છૂપો અગ્નિ હોય છે , પણ તેને પ્રજ્વલિત કરવો પડે છે તેમ 
દરેક બાળકના મનમાં પણ અખૂટ જ્ઞાન પડેલું છે . આ બાળકોની સર્જનશીલતા અને 
જીજ્ઞાસાને એક દિશા આપવાની જરૂર હોય છે .બાળકોમાં રહેલી છૂપી સૂઝને પારખી 
પ્રોત્સાહન આપવાની જરૂર છે .
