HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 જાન્યુઆરી, 2016

મકરસંક્રાંતિ

આજનો વિચાર

સબંધ અને સંપતિ, મુઠ્ઠી ભરો તો રેતી છે….. અને જો વાવતા રહો તો ખેતી છે.

મકરસંક્રાંતિ શબ્દના વિવિધ અર્થ

kite

મકરસંક્રાંતિ એટલે પ્રકાશનો અંધારા પર વિજય 
માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ધેરાયેલુ છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને સફેદ તંતુઓથી વણેલું છે. મકરસંક્રાંતિના દિવસે માનવીનએ પણ સંક્રમણ કરવાનો શુભ સંકલ્પ કરવાનો હોય છે. માનવ જીવનમાં ફેલાયેલા અજ્ઞાન, શંકા, અંધશ્રધ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના લક્ષણો છે. માનવીને અજ્ઞાનને જ્ઞાનથી, ખોટા શકને વિજ્ઞાનથી, અંધશ્રધ્ધાને બરાબરની શ્રધ્ધાથી, જડતાને ચેતનથી અને કુસંસ્કારોને સંસ્કારના સર્જન દ્વારા હટાવવાનું છે. આ જ તેના જીવનની સાચી સંક્રાંતિ કહેવાશે.
સંક્રાંતિ એટલેકે ચારેબાજુ ક્રાંતિ.
ક્રાતિમાં ફક્ત પરિસ્થિતિ પરિવર્તનની આકાંક્ષા હોય છે જ્યારે કે સંક્રાંતિમાં બરાબરની પરિસ્થિતિ સ્થાપવાની ઈચ્છા હોય છે. જેને માટે ફક્ત સંદર્ભ જ નહી પરંતુ માનવીના મનના સંકલ્પોને પણ બદલવાના હોય છે. આ કાર્ય વિચાર ક્રાંતિથી જ શક્ય છે. ક્રાંતિમાં હિંસાને મહત્વ આપવાનું હોય છે, પરંતુ સંક્રાંતિમાં સમજદારીને મહત્વ હોય છે. અહિંસાનો અર્થ 'પ્રેમ કરવો' છે જે સંક્રાંતિમાં તો પળ-પળમાં અને કણ-કણમાં પ્રવાહિત થતો જોવા મળે છે. સંક્રાંતિનો અર્થ માથુ કાપવો નથી પરંતુ મસ્તકમાં રહેલા વિચારોને બદલવાનો છે અને આજ સાચો વિજય છે.
સંક્રાંતિ એટલે સંગક્રાંતિ
આ દિવસે માનવીને સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ. કામ,ક્રોધ, લોભ,મોહ, મદ,મત્સર વગેરે વિકારોના પરિણામોથી બને ત્યાં સુધી મુક્ત રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. સંગમુક્તિથી આપણે ક્ષણે ક્ષણે મુક્ત બનવું જોઈએ. અર્થાત મુક્ત જીવનના લોકોનો સંગ કરવો જોઈએ. આવા જીવનમુક્ત લોકો જ અમારી ક્રાંતિને યોગ્ય દિશા, રસ્તો અને મર્ગદર્શન આપી શકે છે.
 મકરસંક્રાંતિ
મકર સંક્રાતિ હિંદૂ ધર્મનો પ્રમુખ તહેવાર છે. આ પર્વ પૂરા ભારતમાં કોઈ ના  કોઈ રૂપમાં ઉજવે છે. પૌષ માસમાં જ્યારે સૂર્ય મકાર રાશિ પર આવે છે ત્યારે  ત્યારે આ સંક્રાતિ ઉજવે છે.  
આ તહેવાર જાન્યુઆરી માહમાં ચૌદહ તારીખે ઉજવે છે.ક્યારેક-ક્યારેક આ તહેવાર બાર,તેર, કે પંદ્રહને પણ હોઈ શકે છે. આ  વાત પર નિર્ભર કરે છે કે સૂર્ય કયારે ધનુ રાશિ મૂકીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્યની ઉતરાયણ ગતિ આરંભ થાય છે અને આ કારણે એને ઉતરાયણી પણ કહે છે. 
પૌરાણિક કથાઓ 
કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્ય પોતાના પુત્ર શનિથી મળવા પોતે તેના ઘરે જાય છે. શનિદેવ મહર રાશિના સ્વામી ગ્રહ છે આથી આ દિવસે મકર સંક્રાતિના નામ થી ઓળખાય છે. 
મકર સંક્રાતિના દિવસે ગંગાજી ભગીરથના પાછળ ચલીને કપિલ મુનિના આશ્રમથી થઈને સાગરમાં મળી ગઈ હતી. આ પણ કહેવાય છે કે ગંગાને ધરતી પર લાઅતા ભગીરથ પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કરતા હતા. તેનું તર્પણ સ્વીકાર કર્યા પછી આ દિવસે ગંગા સમુદ્ર્માં જઈને મળી ગઈ હતી. આથી મકર સંક્રાતિ પર ગંગા સાગરમં મેળા લાગે છે. 
મહાભારત કાલમાં મહાન યોદ્ધા ભીષ્મ પીતામહ પણ પોતાની દેહ ત્યાગ માટે મકર સંક્રાતિનો જ ચયન કર્યો હતો. 
આ તહેવારને જુદા-જુદા પ્રાંતોમાં જુદા-જુદા નામથી ઓળખાય છે. મકર સંક્રાતિને તમિલનાડુમાં પોંગલના રૂપે આંધ્રપ્રદેશમાં ,કર્નાટક અને કેરલામાં આ પર્વ કેવળ સંક્રાતિના નામથી ઓળખાય છે. 
આ દિવસે ભગવાન વિષ્ણુના અસુરોનો અંત કરી યુદ્ધની સમાપ્તિની ઘોષણ કરી હતી અને બધા અશુરોના માથાને મંદાર પર્વતમાં દબાવી દીધું હતું. આ પ્રકાર આ દિવસે બુરાઈઓ અને નકારાત્મકતાને ખ્તમ કરવાનો દિવસ પણ ગણાય છે. 
યશોદાજીએ જ્યારે કૃષ્ણ જન્મ માટે વ્રત કર્યું હતું. ત્યારે સૂર્ય દેવતા ઉતરાયણ કાળમાં પર્દાર્પણ કરી રહ્યા હતા. અને તે દિવસે મકર સંક્રાતિ હતી. ત્યારથી મકર સંક્રાતિ વ્રતનો પ્રચલન થયું. 

ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે..

 
ઉમંગને ઉછાળતી, આકાશને આંબતી
વાદળોના આકાશમાં હલેસા મારતી
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......
કાપ્યો છે... કાપ્યો છે.... કહીને સૌ પતંગોને કાપતી 
કદી મને આગળ પાછળ ડોલાવતી
જુઓ કેવી ઘેલી પતંગ મારી ઉડી રે......
પેલો ચાપટ પણ ગયો
પેલી આંખેદાર કપાઈ
કેવી સૌને પાણી પીવડાવતી ઉડી રે....
કદી ઝાડમાં અટકતી
કદી મારા ધબકારા વધારતી 
મને અગાશીમાં દોડાવતી કેવી ઉડી રે.......
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......

Get Update Easy