HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 સપ્ટેમ્બર, 2015

નમસ્કાર !  ... વર્લ્ડ હેરિટેઝ વિષેની માહિતી 
ભારતના વિશ્વ વારસાના સ્થળો   
યુનોની યુનેસ્કોની સંસ્થા દુનિયામાં જે સાંસ્કૃતિક, કલા, સાહિત્ય વગેરેનાકામો કરે છે એ ખરેખર દાદ માંગી લે તેવા છે.
યુનેસ્કોના એવા સેંકડો કામોમાનું એક કામ વિશ્વના જૂના સ્થાપત્યો, કલા અને સંસ્કૃતિના વારસાઓ વગેરેને જાળવણી માટે મોટા ભંડોળ સાથે સઘળી સંયુક્ત જવાબદારી માથે લે છે.
આપણા દેશમાં એવા વિશ્વ સાંસ્કૃતિ વારસાના સ્થળો અત્યાર સુધીના યુનેસ્કોના આ છે....
 ૧૯૮૩
(૧) અજંતા (મહારાષ્ટ્ર)
(૨) ઈલોરા (મહારાષ્ટ્ર)
(૩) આગ્રાનો કિલ્લો (ઉત્તર પ્રદેશ)
(૪) તાજમહલ (ઉત્તર પ્રદેશ)
 ૧૯૮૪
(૬) મહાબલિપુરમ્ (તમિળનાડુ)
(૭) કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામ)
(૮) માનાનાની વન્યપ્રાણી સૃષ્ટિ (આસામ)
(૯) કેવલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (રાજસ્થાન)

  ૧૯૮૬
(૧૦) ગોવાના દેવળો અને ખ્રિસ્તી કેન્દ્રો
(૧૧) ખજુરાહો (મધ્યપ્રદેશ)
(૧૨) હમ્પીના અવશેષો (કર્ણાટક)
(૧૩) ફતેપુર સિક્રી (દિલ્લી)
 
૧૯૮૭
(૧૪) પત્તાડકલના અવશેષો
(૧૫) એલિફન્ટાની ગુફાઓ (મહારાષ્ટ્ર)
(૧૬) બૃહદેશ્વરનું મંદિર (થાન્જીપુર)
(૧૭) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન

 ૧૯૮૮
(૧૮) નંદાદેવી અને વેલી ઓફ ફલાયર્સ (ઉત્તરાંચલ)

  ૧૯૮૯
(૧૯) સાંચીના બૌદ્ધ સ્થાપત્યો
 
૧૯૯૩
(૨૦) હુમાયુંની કબર (દિલ્લી)
(૨૧) કુતુબમિનાર (દિલ્લી)

  ૧૯૯૯
(૨૨) દાર્જિલિંગ અને સીમલાની રેલવે

  ૨૦૦૨
(૨૩) બુદ્ધગયાનું મહાબોધી ટેમ્પલ

  ૨૦૦૩
(૨૪) ભીમખેડાના આરસના પહાડો (મધ્યપ્રદેશ)

 ૨૦૦૪
(૨૫) ગંગાલકોન્ડાચોલાપુરમનું બૃહદેશ્વરનું મંદિર
(૨૬) દારાસુરમનું ઐરાવતેશ્વરનું મંદિર
(૨૭) ગુજરાતના ચાંપાનેર અને પાવગઢ
(૨૮) મુંબઈની વિકટોરીયા ટર્મિનસ સ્ટેશન (વી.ટી., છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, વોરીબંધુ)

  ૨૦૦૭
(૨૯) દિલ્લીનો લાલકિલ્લો
 2010 
(30) જંતર-મંતર(જયપુર,રાજસ્થાન)
 ''વર્લ્ડ હેરીટેઝ''ની શ્રેણીમાં આપણા દેશના એક પણ શહેર કે ગામનું નામ નથી. એ રીતે જોઈએ તો, ''વર્લ્ડ હેરીટેજ સીટી''ની શ્રેણીમાં એશિયામાંથી નેપાળનું ભક્તાપુર ગામ-શહેર છે. એ ઉપરાંત એશિયાના દેશોમાંથી શ્રીલંકાની ગાલે, મલેશિયાના પેનાંગ-જ્યોર્જટાઉન અને મેલ્લાકા, વિયેટનામનું હુએહુએ, લાઓસનું પ્રબાંગ વગેરે છે.

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન 

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં આવેલ છે, તે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાની જેમકે એશિયાઈ કાળા રીંછૢ હિમ ચિત્તો કથ્થઈ રીંછ અને ભૂરું ઘેટું આદિનું ઘર છે. વેલી ઓફ ફ્લાવર્સની હલકું સૌંદર્ય નંદાદેવીના જંગલી ભૂતળની પૂરક છે. આ બનેં સાથે મળીને ઝાસ્કર અને હિમાલય ને જોડતી કડી બને છે. આ પાર્ક ૮૭.૫૦ ચો કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે.વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ પર્વતારોહક વનસ્પતિશાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી છે.આની કોમલ પરિદૃશ્ય, અલ્પાઇન ફૂલોં કી અદભુત સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે.વેલી ઓફ ફ્લાવર્સ માં વિવિધ રંગે ખીલી ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે. સ્થાનીય લોકો આના અસ્તિત્વ વિષે જાણતા હતાં અને તેમનું માનવું છે કે પરીઓ અહીં વસવાટ કરે છે.

ઘાટી બ્રહ્મ કમળ જેવા ઘણાં ફૂલોનું ઘર છે, બ્લૂ પોસ્તા અને કોબરા લિલિ.

આલ્પાઈન ફ્લોરાની વિવિધ પ્રજાતિનું નિવાસસ્થાન તેને જૈવિક અને વનસ્પતિય વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ મહત્ત્વની છે. જે પશ્ચિમ હિમાલયન જૈવિક ક્ષેત્રનું પ્રતિનિધી છે. ઝસ્કર પર્વત અને હિમાલયની વચ્ચેના ક્ષેત્રમાં ઘણી લુપ્તપ્રાય વનસ્પ્તિ જોવા મળે છે જે અન્ય ક્યાંય દેખાતી નથી. ઉત્તરાખંડનો આભાગ ઉચ્ચ ગઢવાલ માં આવેલ છે અને વર્ષના અધિકત્તર સમયમાં દુર્ગમ હોય છે. આ ક્ષેત્ર હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની ઉંચાઈ સમુદ્ર સપાટી થી ૬૭૧૯મી છે.

 

આ સ્થાનનો પરિચય જગતને કરાવાવનું શ્રેય ફ્રેંક સ્માઈથ નામના વનસ્પતિ શાસ્ત્રી, પર્વતારોહી અને સંશોધકને જાય છે. તેઓ ૧૯૩૭ના ચોમાસામાં અહીં કેમ્પ બનાવી રહ્યા હતાં અને ઘણાં ઉપયોગિ સંશોધનો કર્યાં હતાં. તેમણે ધ વેલી ઓફ ફ્લાવર્સ નામનું પુસ્તક લખ્યું. જેમાં તેમણે આ સ્થળના અપ્રતીમ સૌંદર્યનું વર્ણન કર્યું અને પ્રકૃતિના આ સુંદર રત્નને વિશ્વના વન્ય જિજ્ઞાસુઓ સાથે મિલન કરાવ્યું.
આ સ્થળનો વધુ અભ્યાસ કરવા ૧૯૩૯માં રોયલ બોટેનિક ગાર્ડન્સૢ એડીનબર્ગ દ્વારા માર્ગારેટ લેગી નામની વનસ્પતિ શાસ્ત્રીને મોકલવામાં આવી. અમુક ફૂલોના નમૂના લેતાં પર્વતના ઢોળાવ પરથી તેમનો પગ સરકતાં તેમણે જાન ગુમાવ્યાં.તેમની બહેને પછી તે સ્થળની મુલાકાત લીધી અને તે સ્થળે તેમનું સ્મૃતિચિન્હ બંધાવ્યું. હજી પણ તે મેમોરિયલ ત્યાં જોઈ શકાય છે.

વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટે લગભગ ૧૭ કિલોમીટરનું આરોહણ કરવું પડે છે. અહીંથી સૌથી નજીકનું શહેર જોષીમઠ છે જે ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. આશહેર હરિદ્વાર અને દેહરાદૂન જેવા રેલ્વે મથકો સાથે જોડાયેલું છે. આ બનેં સ્થળ જોષીમઠથી ૨૭૦ કિમી દૂર છે.
 જોષીમઠથી કોઈ વાહન ભાડે કરી જે તમને પાર્કના ૧૭ કિમી અંદર ગોવિંદઘાટ સુધી લઈ જાય છે. વેલી ઓફ ફ્લાવર્સ જવાનો રસ્તો જોષીમઠથી બદ્રીનાથ ના રસ્તે જ ચાલે છે પણ મધમાં એક ફાંટો આ રસ્તાથી છૂટો પડે છે જે તમને ગોવિંદઘાટ પહોંચાડે છે. ગોવિંદ ઘાટથી ૧૪ કિમી આરોહણ કરી તમે ઘાંઘરીયા નામની નાનકડી સુધી પહોંચો છો. જ્યાં રસ્તાઓ અટકે છે. આ સ્થળથી ૩ કિમી દૂર વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. હેમકુંડ સાહેબ ઘાંઘરીયાથી ૫ કિમી દૂર છે
આમ તો વેલી ઓફ ફ્લાવર્સ ઘાંઘરીયાથી ચાલુ થઈ જાય છે પણ ખરેખરી વેલીઓફ ફ્લાવર્સ જેને કહી શકાય તે સ્થળ તો કરાડ અને ઝરાણાની પેલે પાર છે. રતબાણ પર્વત વેલીની સામે આવે છે અને છેવટે કુંત ખાલ આવે છે. વેલી ઓફ ફ્લાકર્સમાં જાજરમાન શિખરો સમાયેલા છે. પુષ્પાવતી નદીવહેતા વહેત બે ખંડમાં વહેંચાઈ જાય છે. ઘણાં નાના ઝરણાં પણ અહીંથી વહી છે જે આ ક્ષેત્રને પાણી સીંચતા રહે છે. આ ઝરણાં આ ક્ષેત્રની સુંદરતા વધારતાં આગળ વધી પુષ્પાવતી નદીને મળે છે. આ ખીણમાં ફૂલોને જોવાનું એક જ આરોહણ છે તમને અહીં ઘણાં પતંગિયા પણ જોવા મળે છે. તમને રસ્તે ચાલતાં કસ્તુરી મૃગ, ભારલ (ભુરું ઘેટું) હિમાલયન રીંછ, હિમાલયન મુષક સસલું, હિમ દીપડો પણ જોવા મળી શકે. પક્ષીવિદો માટે પણ આક્ષેત્ર સ્વર્ગ સમાન છે. ઘાસના મેદાનોને ફુલો, ધોધ, ઝરણાં, મોટા ખડકો આદિ દ્વારા શણગારેલી લાગે છે. પરવતા રોહીમાટે કેમ્પ ઘાંઘરીયામાં હોય છે જ્યાંથી વેલીઓફ ફ્લાવર્સ ૩ કિમી આરોહણ પર છે. આ એક હળવા સ્તરની ચઢાઈ છે અને રસ્તો સાફ દેખાય છે.

Get Update Easy