HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 એપ્રિલ, 2015

https://pvmstech8.wikispaces.com/file/view/BouncingBall.gif/87520995/120x120/BouncingBall.gif  

દરેક માણસ પોતાને સમજુ સમજે છે. માણસ કેવો હોય છે? સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. આ વાત સાચી છે? ના. કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો. દરેક પાસે પોતાની એક સમજ હોય છે. આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે. આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ. સમજનું કે અણસમજનું કોઈ માપ નથી. કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય? કેટલી સમજ ન હોય તો માણસ અણસમજુ કહેવાય? સમજનું કોઈ માપ નથી. સમજનું કોઈ મીટર નથી. સમજનું કોઈ ત્રાજવું નથી. સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે. કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે. બનવાજોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે. દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છે! એટલે જ માપ જુદું જુદંુ નીકળે છે!
સમજુ હોવું એટલે શું? જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું. દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે. દરેકની એક માનસિકતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે. માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું? સંબંધમાં માણસ એક હદથી વધુ સ્વાર્થી થઈ શકતો નથી. એ બધાનું વિચારે છે. કોઈ માણસને એકલા સુખી થવું હોતું નથી. દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે. માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે. પત્ની પતિને રાજી રાખવા મથતી હોય છે. ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી. મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે. બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે. આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતું હોય છે કે, મારે જ બધાનું કરવાનું? હું સમજુ છું એ જ મારો વાંક?
એક યુવાનની વાત છે. ઘરમાં કંઈ પણ હોય તો બધા એને જ કામ સોંપે. કંઈ લઈ આવવાનું હોય કે ફોન રિચાર્જ કરવાનો હોય તો એને જ કહેવામાં આવે. બધા એને કામ સોંપીને છૂટી જાય. કામ ન કરે તો પાછું એને સંભળાવે પણ ખરા કે આજકાલ તું અમારી વાતને ગંભીરતાથી લેતો નથી! એક દિવસ આ યુવાને તેના પિતાને કહ્યું કે, હું બધાનું કામ કરું છું, બધા પાછળ ખેંચાવ છું, બધા જલસા કરે છે, મને ઓર્ડર કરી દે છે અને મારાથી કંઈ ન થાય તો દોષ મને દે છે. તમે પણ એ જ કહો છો કે તું સમજુ છે એટલે બધા તને કહે છે. હું સમજુ છું એ જ મારો વાંક છે? પિતાએ કહ્યું કે, ના એ તારો વાંક નથી. એ તારી સમજ છે. તારી આવડત છે. તારી હોશિયારી છે. ડોબો હોત તો તને કોઈ કંઈ ન કહેત! એક વખત તેં સારી રીતે કામ કર્યું એટલે તને બીજી વખત સોંપ્યું. તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ છે. સમજણની પણ કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે! તમને એવું જ કામ સોંપવામાં આવે છે જેવી તમારી સમજણ હોય. સમજ એ એક લાયકાત છે.


 SBI Payment Online 
Process for SBI Online Payment
 
Charges for online payment under State Bank Collect (applicable taxes extra)
  • SBI Internet Banking -> Rs.10
  • Other Banks’ Net Banking -> Rs.15
  • SBI ATM-cum-Debit Card -> Rs.10
  • Payment through SBI Branch Cash/Transfer -> Rs.50
  • Payment through any other Banks’ Debit Card/ Or Any Credit Card: -> -0.75% upto Rs.2000/- ,-1.00% above Rs.2000/-
Click Here to go for Online Payment

Get Update Easy