HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

15 માર્ચ, 2015

વિશ્વગ્રાહક દિન - 15 March



વિશ્વગ્રાહક દિન - 15 March 
logo
  • વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૦ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.
  • ગ્રાહક સુરક્ષા Presentation Download
  • જાગો ગ્રાહક જાગો - (આભાર,શ્રેયસ દેસાઈ-સંદેશ)
"આપણે સૌ ગ્રાહક છીએ. પ્રત્યેક પબ્લિક અને પ્રાઇવેટ આર્થિક નિર્ણયોને અસર કરતો અથવા એવા નિર્ણયોથી અસર પામતો સૌથી મોટો આર્થિક સમૂહ ગ્રાહકોનો છે. આમ છતાં, ગ્રાહકોનો સમૂહ એ એવો
સમૂહ છે જેના અભિપ્રાયો મહદ્અંશે-

સાંભળવામાં આવતા નથી."


ઉપરોક્ત શબ્દો અમેરિકાના તત્કાલીન પ્રમુખ શ્રી જ્હોન એફ કેનેડીએ ૧૫મી માર્ચ, ૧૯૬૨ના દિવસે અમેરિકન સંસદ સમક્ષ કરેલ ભાષણમાં ઉચ્ચાર્યા હતા. કેનેડીએ ગ્રાહકના અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે અસરકારક કાનૂની વ્યવસ્થા જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. જોકે કેનેડીના ઉપરોક્ત ઉચ્ચારણનો પડઘો છેક ૨૧ વર્ષ પછી એટલે કે ૧૯૮૩માં પડયો હતો અને કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય ગ્રાહક સંગઠને ૧૫મી માર્ચ, ૧૯૮૩ના દિવસથી પ્રત્યેક વર્ષ ૧૫મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. ભારતમાં સ્વ. રાજીવ ગાંધીની સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો ઘડવામાં આવ્યો હતો. જેને ભારતીય સંસદે પસાર કર્યા બાદ તા.૨૪-૧૨-૧૯૮૬ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી, જેથી પ્રતિવર્ષ ૨૪મી ડિસેમ્બરનો દિન ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે.
કોણ ગ્રાહક ગણાય?
આ ધારામાં મૂલ્ય ચૂકવીને અથવા ચૂકવવાનું વચન આપીને અથવા અંશતઃ ચૂકવીને ચીજવસ્તુ ખરીદનાર યા સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક ગણવામાં આવે છે, પરંતુ રી-સેલ કે વાણિજ્યિક હેતુ માટે ચીજવસ્તુ ખરીદનારનો ગ્રાહકની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી.
ફરિયાદમાં શું હોવું જોઈએ?
ગ્રાહકે ગ્રાહક ફોરમ/કમિશન સમક્ષ કરેલી ફરિયાદમાં નીચેની એક અથવા વધુ બાબતો સંબંધી લેખિત આક્ષેપો હોવા જોઈએ.

* કોઈ પણ વેપારીએ અપનાવેલી ગેરવાજબી વેપારી પ્રથાને પરિણામે ગ્રાહકને થયેલા નુકસાન અથવા હાનિ થવા બાબત.

* માલ યા ચીજવસ્તુમાં યા સેવામાં એક યા વધુ ખામી હોવા બાબત.

* કાયદાની રૂએ નક્કી થયેલી કિંમત કરતાં વેપારીઓએ લીધેલી કિંમત વધુ હોવા બાબત.
ફરિયાદ ક્યાં ફાઇલ કરવી?
ચીજવસ્તુ કે સેવા અથવા વળતરનું મૂલ્ય રૂ.૨૦ લાખ સુધી હોય તો જ્યાં દાવાનું કારણ ઉપસ્થિત થતું હોય તે જિલ્લાના અથવા સામા પક્ષકાર જ્યાં રહેતો યા ધંધો કરતો હોય તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ફોરમમાં ફરિયાદ ફાઇલ કરી શકાય છે. વળતરનું મૂલ્ય રૂ.૨૦ લાખ કરતાં વધુ, પણ ૧ કરોડથી ઓછું હોય તો જ્યાં દાવાનું કારણ ઉપસ્થિત થતું હોય તે રાજ્ય સંઘપ્રદેશના કમિશન સમક્ષ અથવા સામા પક્ષકાર જ્યાં રહેતો તે રાજ્ય સંઘપ્રદેશના સ્ટેટ કમિશન સમક્ષ ફરિયાદ કરવી પડે છે. રૂ.૧ કરોડ કરતાં વધુ કિંમત હોય ત્યારે નેશનલ કમિશન ન્યૂ દિલ્હી ખાતે ફરિયાદ ફાઇલ કરવી રહી.

દાદ, વળતર અને સજા ફરિયાદની હકીકતો પુરાવા ધ્યાનમાં લઈને કમિશન માલની ખામી દૂર કરવાનો, માલ બદલી આપવાનો, નુકશાન બદલ વળતર આપવાનો હુકમ કરી શકે છે. હુકમનું પાલન ન થવાના સંજોગોમાં ગંભીર પરિણામો આવી શકે છે. ગ્રાહક સુરક્ષા ધારાની કલમ ૨૭ અનુસાર કોઈ પણ વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ ફોરમ, સ્ટેટ કમિશન યા નેશનલ કમિશનના હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેને વધુમાં વધુ ૩ વર્ષ સુધીની જેલની સજા અથવા રૂ.૧૦,૦૦૦/- સુધીનો દંડ થઈ શકે. 

ગ્રાહકોના હિતોનું વ્‍યાપક ફલક પર રક્ષણ થાય તે માટે જાહેર જનતાની ભાગીદારી થકી નિયામકશ્રી તોલમાપ અને ગ્રાહક સુરક્ષાનો તંત્ર, ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે, ગ્રાહકના હિતોના રક્ષણ માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને માન્‍યતા આપે છે તેમજ તેઓને વિવિધ પ્રકારની આર્થિક મદદ પણ કરે છે. 
  •  ગ્રાહક સુરક્ષા મંડળો (N.G.O.)
સમગ્ર રાજ્યને આવરી લઇ ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્‍ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ માટે ગ્રાહકોના હિત તેઓની સુરક્ષા માટે કામ કરતાં સ્‍વૈચ્‍છિક મંડળોને ગ્રાહક પ્રવૃત્તિ હાથ ધરવા માટે સરકાર દ્વારા માન્‍યતા તથા નાણાંકીય સહાય આપવામાં આવે છે. રાજ્યમાં હાલમાં પ૯ ગ્રાહક સુરક્ષા મંડળોને માન્‍યતા આપવામાં આવેલ છે. આ મંડળો દ્વારા સ્‍થાનિક કક્ષાએ ગ્રાહકોને તેઓની ફરીયાદ બાબતે માર્ગદર્શન સલાહ અપાય છે તથા તેઓની ફરીયાદ નિકાલ માટે મદદરૂપ થાય છે. તેમજ ગ્રાહકોમાં તેઓના અધિકાર પરત્‍વે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો, સેમીનાર, પ્રદર્શનનું આયોજન કરી ગ્રાહક પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા મંડળો તેમની પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે મંડળોને સરકારશ્રી દ્વારા તાલુકા કક્ષાના મંડળોને રૂપિયા ૭૫,૦૦૦/- જીલ્‍લા કક્ષાના મંડળોને રૂ. ૧,૦૦,૦૦૦/- અને છ મ્‍યુનિ. કોર્પોરેશન વિસ્‍તારના જીલ્‍લા કક્ષાના મંડળને રૂ. ૧,૨૫,૦૦૦/- સુધીની નાણાંકીય સહાય મંજુર કરવામાં આવે છે. દરેક જીલ્‍લા કક્ષાએ ઓછામાં ઓછું ગ્રાહક સુરક્ષા એક મંડળ સ્‍થપાય તે અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે.
કન્‍ઝયુમર્સ એફેર્સ એન્‍ડ પ્રોટેકશન એજન્‍સી ઓફ ગુજરાત (કા.પા.ગ.)
ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે ૧૯૮૫ થી કા.પા.ગ.ની રચના ધી પબ્‍લિક ચેરીટેબલ ટ્રસ્‍ટ એકટ-૧૯૫૦ હેઠળ કરેલ છે. આ સંસ્‍થા હાલ તોલમાપ ભવન, સારંગપુર, અમદાવાદ ખાતે કાર્યરત છે. કા.પા.ગ. ના ચેરમેન તરીકે અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવશ્રી ફરજ બજાવે છે અને નિયામક તરીકે નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન નિયામક, ગ્રાહક બાબતો તરીકે ફરજ બજાવે છે. કા.પા.ગ.ની કારોબારી સમિતિમાં કુલ ૧૨ સભ્‍યો હોય છે. જેમાં સાત-સરકારી સભ્‍યો તથા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળની ચુંટણીથી નિયુકત થયેલ ૫-બીનસરકારી સભ્‍યો જેમાં ફરજીયાતપણે એક મહિલા સભ્‍યની તેમજ એક આદિવાસી સભ્‍યની જોગવાઇ છે.
કા.પા.ગ.
      • ગ્રાહક સુરક્ષા મંડળોને માન્‍યતા આપવા સરકારશ્રીને ભલામણ કરે છે.
      • માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળોને નાણાંકીય સહાય આપવા માટે સરકારશ્રીને ભલામણ કરે છે.
      • ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ માટે પ્રચાર પ્રસાર ની કામગીરી કરે છે.

ગ્રાહક પ્રચાર-પ્રસાર (પબ્‍લીસીટી) ની કામગીરી

નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માં ગ્રાહક પ્રચાર- પ્રસાર (પબ્લીસીટી) ની કામગીરી

      • ગ્રાહકો ફરીયાદ નિવારણ-રાજયકક્ષાની નિયામક, ગ્રાહક બાબતોની કચેરી દ્વારા ગ્રાહકો તરફથી મળેલ સીધી ફરીયાદો તથા સરકારશ્રીને મળેલ ફરીયાદો આ કચેરીના તોલમાપ નીરીક્ષકો દ્વારા ફરીયાદીનો રુબરુ સંપર્ક સાધીને ફરીયાદી તથા જે તે કંપની વચ્ચે સમજુતી કરીને બન્ને વચ્ચે સમાધાન થાય અને ફરીયાદીને સંપુર્ણ ન્યાય મળે તે રીતે ફરીયાદોનો નિકાલ કરવામાં આવે છે. જયા પ્રિલીટીગેશન થી ફરીયાદ નિકાલ શકય ન હોય, તો ગ્રાહકોને ગ્રાહક ફોરમમાં ફરીયાદ દાખલ કરવા સલાહ અપાય છે. અને આ બાબતે જરુર જણાય તો ગ્રાહકને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. નિયામક, ગ્રાહક બાબતોની કચેરી દ્રારા તા ૧/૪/૨૦૧૨ થી તા.૩૧ /૩ /૧૩ સુધી માં માં ૧૬૮ મળેલ ફરીયાદ પૈકી ૬૦ તથા અગાઉ ની બાકી રહેલ ૧૪૪ એમ કુલ ૨૦૪ ફરીયાદનો નિકાલ કરાયેલ છે.
      • ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા અંગેના હોર્ડીંગ્સ બાબત રાજયમાં ગ્રાહક જાગૃતિ તેમજ સુરક્ષા બાબતે પ્રચાર માટે રાજ્યના પસંદગીયુકત ૫૨ (બાવન) સ્થળોએ ૧૫ X ૩૦ ફૂટના હોડિંગ્સ ઉભા કરવામાં આવેલ છે સદર ઉભા કરવામાં આવેલ હોડિંગ્સ પર ગ્રાહક જાગૃતિ તેમજ સુરક્ષા બાબતે ની જાહેરાત ના ફેલેક્ષ બેનર લગાડવામાં આવેલ છે . જેમાં દર બે માસે જાહેરાતની ડીઝાઇન બદલાતી રહે છે.
      • નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ થી રાજયના ભાવિ નાગરિકોમાં ગ્રાહક જાગૃતિ વધે તે માટે તે હેતુસરકન્‍ઝયુમર્સ કલબની યોજના ચાલુ કરેલ. જેમાં જીલ્લાવાર એક સંકલન એજન્સી તરીકે માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ કામગીરી કરશે રાજય સરકાર દ્વારા કલબ દીઠ રૂ.૫,૦૦૦/-(કલબને રૂ.૪૦૦૦/- તથા સંકલન એજન્સી રૂ. ૧૦૦૦/-) લેખે નાણાકીય સહાય ચુકવવામાં આવે છે . ચાલુ વર્ષ માં સમગ્ર રાજયમાં કુલ ૧૨૦૦ કન્‍ઝયુમર્સ કલબ સ્થાપના કરીને , રૂ.૬૦/- લાખની ગ્રાન્ટ ફાળવવા આવેલ છે.
      • વિશાળ ગ્રાહક વર્ગમાં જાગૃતતા આવે તે હેતુસર ગુજરાત રાજ્યમાં દોડતી વેસ્ટર્ન રેલ્વેની ટ્રેન જેવી કે.....
        (
        ૧) ડેમુ-અમદાવાદ-મહેસાણા-પાલનપુર-આબુરોડની ડેમુ ટ્રેનમાં માહે જુલાઇ-૧૨ થી ફેબ્રુ-૧૩ સુધીની મુદત માટે ૬૦ સ્ટિકરો/પોસ્ટરો
        (
        ૨) વલસાડ-સુરત-અંકલેશ્વર- ભરૂચ-વડોદરા અમદાવાદ ગુજરાત કવીન ટ્રેનમાં માહ જુલાઇ-૧૨ થી ફેબ્રુ-૧૩ સુધીની મુદત માટે ૯૦ સ્ટિકરો/પોસ્ટરો લગાડવા વર્કઑર્ડર આપવામાં આવેલ છે જે અનુસાર ગ્રાહક સુરક્ષાની પ્રચાર-પ્રસારની જાહેરાત વર્ષ દરમ્યાન ચાલુ રહેનાર છે
      • એસટી બસ ત્રિમાસિક પાસ ના ૧૦ લાખ ઓળખકાર્ડ ની પાછળ ગ્રાહક જાગૃતિ ની જાહેરખબરો છાપીને તથા ૨૨૯ નક્કી કરાયેલ પસંદગી ના બસ મથકના સમયપત્રક્ની બાજુમાં ગ્રાહક જાગૃતિ જાહેરખબરો છાપીને નો ગ્રાહક સુરક્ષાની પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેની જાહેરાત વર્ષ દરમ્યાન ચાલુ રહેલ છે.
      • રાજયમાં ગ્રાહક ના માગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્‍દ્વ, અમદાવાદખાતે સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન ન- ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ કાર્યવિન્ત કરવામાં આવેલ છે જેમાં તા ૧/૪/૨૦૧૨ થી તા.૩૧ /૩ /૧૩ સુધી માં૧૧૭૭૬ જુદી જુદી કવેરીઝ મળેલ છે સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન માટે રૂ. ૧૧ લાખ ની નાણા સહાય ચુકવવામાં આવેલ છે
      • ગ્રાહક જાગૃતિ ના જા ગૃતિના જુદા જુદા વિષયો પર છ (૬) ૨૫-૨૫ મિનિટની ડોક્યુડ્રામા તથા ૩૦ સેકન્ડની આઠ કવીકી વર્ષ ૨૦૧૧-૧૨ માં તૈયાર કરાવેલ. જેમાં છ(૬) ૨૫-૨૫ મિનિટની ડોક્યુડ્રામા કાર્યક્રમોનું દૂરદર્શન મારફ્તે હાલમાં પ્રસારણ-પુન:પ્રસારણ કરાવેલ છે.
      • અ.ના.પુ. અને ગ્રા.બા વિભાગ ના ઠરાવ ક્ર: સીપીએ/૧૦૨૦૧૦/ભા.સ.૪/ડ-૧ તા.૧૩/૧/૨૦૧૨ થી રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિ , ગુજરાત ની રચના કરવામાં આવેલ છે. અને તેમાં રાજ્ય સરકારશ્રીનો 25% હિસ્સોઅને ભારત સરકારશ્રીનો 75% હિસ્સો એમ કુલ રૂ. ૧૦ કરોડનું રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિ , ગુજરાતનું ફંડ છે. જેના વ્યાજમાંથી ગ્રાહક પ્રવૃતિ-પ્રચાર-પ્રસારની કામગીરી કરવાની છે. હાલ રાજ્ય સરકારશ્રીનો 25% હિસ્સો એટલે કે રૂ.૨.૫૦ કરોડ જમા કરીને, તેની ડીપોઝીટ જી.એસ.એફ.સી માં મુકેલ છે. અને તેની વ્યાજની આવક માંથી મંજુર કરાયેલ છ ગ્રાહક સલાહ કેન્દ્રો ચાલુ રાખવા માટે રૂ. ૩.૪૩ લાખની નાણા સહાય આપેલ છે
      • સી.ઇ.આર.સી દ્રારા ઇનસાઇટમેગેઝીન , કે જે ગ્રાહક સુરક્ષાને લગતુ છે અને અંગ્રેજીમાં બહાર પડાય છે. તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી, છ દ્વીમાસિક અંક પ્રસિધ્ધ કરવાના તથા તેની ૭૦૦૦ નકલો નક્કી કરાયેલ પસંદગીયુકત ઉપભોકતાઓને વિનામૂલ્યે વિતરણ કરવા રૂ.૧૮.૬૧ લાખની સહાય આપવામાં આવેલ છે.
      • ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘’વિશ્‍વ ગ્રાહક દિન’’ તથા ર૪મી ડીસેમ્‍બર ને ‘’રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દિન’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજય સરકાર દ્વારા ૧૫ મી માચઁ ‘‘વિશ્‍વ ગ્રાહક અધિકાર દિન‘‘ તથા ૨૪ મી ડીસેમ્‍બર ‘‘રાષ્‍ટીય ગ્રાહક અધિકાર દિન‘‘ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો ની ઉજવણી માં રાજય કક્ષાએ પણ આયોજન કરવામાઆવે છે.ચાલુ નાણાકીય વર્ષ માં ૨૪ મી ડીસેમ્‍બર -૨૦૧૨ ની ઉજવણી વિધાનસભા ચૂંટણી આચારસંહિતાના કારણે કરાયેલ ન હતી. પણ ૧૫ મી માર્ચ -૨૦૧૨ ની ઉજવણી નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ રાજકોટ મુકામે આયોજીત કરેલ હતો. આ બન્‍ને દિનો ની ઉજવણી માટે જિલ્‍લાકક્ષાએ મદદનીશ તોલમાપ અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીઓ કૂલ રૂ. ૨,૬૦,૦૦૦ લાખની તથા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂ.૧૦,૦૦૦ સુધીની નાણા સહાય આપવામાં આવે છે. આ બન્‍ને દિનો ની ઉજવણી માં જિલ્‍લા/તાલુકામાં કક્ષાએ સરકાર માન્‍ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્ર ની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદશનો,શેરી નાટકો જેવા કાર્યક્રમોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્રારા ૨૫ મી જુન તથા ૧૫મી સપ્ટેમ્બર એમ બે દિવસો ‘’ ગ્રાહક દિનતરીકે ઉજવાય છે.
ગ્રાહક સલાહકાર કેન્‍દ્રોની સ્‍થાપના
જીટીઝેડ તથા ભારત સરકારના ગ્રાહક બાબતોનો વિભાગ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રોજેકટના સહયોગથી આ GTZ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્‍દ્રોની સ્‍થાપના કરવામાં આવેલ GTZ is Deusche Geseltschalt for Technische Zusannenarbeit (GTZ). It is a German name meaning in English as German Technical Cooperation.
ગ્રાહક સલાહકાર કેન્‍દ્રોમાં ગ્રાહક સુરક્ષા ને લગતા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા માટે ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહકોના પ્રશ્નો નો ઉકેલ વિષય નિષ્‍ણાતો કરશે આ પ્રોજેકટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્‍દ્રો દ્વારા મહિનામાં નકકી કરાયેલ દિવસે વીડિયો કોન્‍ફરન્‍સીંગ થી ઓનલાઇન કામગીરી કરવાની હોય છે. આ નોડલ એજન્‍સી તરીકે ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી CERC કામગીરી કરે છે.તથા જેનું મોનીટરીંગ તથા માર્ગદર્શન, તાલીમ વિ. પણ CERC દ્વારા થાય છે. આ પ્રોજેકટ હેઠળ હાલમાં કુલ છ ગ્રાહક સલાહકાર કેન્‍દ્રો કામ કરે છે. આ ઉપરાંત ગ્રાહક સલાહકાર કેન્‍દ્ર તરીકે અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ ૧૭ માન્‍યતા પ્રાપ્‍ત ગ્રાહક મંડળો કે જે મંડળ પોતાની મેળે અને કોઇપણ સહાય વગર ગ્રાહક સલાહકાર કેન્‍દ્ર પ્રોજેક્ટમાં સ્‍વેચ્‍છાએ જોડાયેલ છે. તેઓ જીટીઝેડ પ્રોજેક્ટ અંતર્ગતના સોફટવેરમાં ગ્રાહક ફરીયાદ બાબતે ઓનલાઇન કામગીરી કરે છે.

ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી

ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દીવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ બંને દિવસોની ઉજવણી માટે જીલ્‍લા કક્ષા ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીને દિઠ કુલ રૂ. ૬,૦૦,૦૦૦ લાખની તથા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂ. ૧૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તથા જીલ્‍લા કક્ષાએ સરકાર માન્‍ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રપ મી જુન તથા ૧૫ મી સપ્‍ટેમ્‍બર એમ બે દિવસો ‘‘ગ્રાહક દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે.

કન્‍ઝયુમર વેલફેર ફંડ

રાજ્યમાં ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ વેગવાન બને અને સરળતાથી થઇ શકે તેમજ કાયમી નાણાકીય સ્‍ત્રોત ઉભું થાય તે હેતુને લક્ષમાં લઇને રાજ્ય ગ્રાહક કલ્‍યાણ નિધિની સ્‍થાપના કરેલ છે. અને તેને વધુ સુદ્દઢ બનાવવા માટે ભારત સરકારની સહાયથી રૂા. ૧૦.૦૦ કરોડનું કોર્પસ ફંડ ઉભુ કરવામાં આવી રહેલ છે. જેમાં ૭૫ ટકા ફાળો એટલે કે રૂા. ૭.૫૦ કરોડ ભારત સરકારનો અને ર૫ ટકા ફાળો એટલે કે ર.૫૦ કરોડ રાજ્ય સરકારનો છે. રાજ્ય સરકાર દ્વારા સદર રકમ ફળવાઇ ગયેલ છે અને આ રકમ પર વ્‍યાજ મળી શકે તે રીતે તેની ડીપોઝીટ જી.એસ એફ સી માં મુકેલ છે અને દર વર્ષે મળેલ વ્યાજ માંથી ગ્રાહક હિત ને ઉત્તેજન અને સુરક્ષા માટેના પ્રોજેકટ માટે અ.ના.પુ અને ગ્રા.બા વિભાગ ના ઠરાવ ક્ર : સીપીએ / ૧૦૨૦૧૦ / ભા.સ ૪ / ડ૧ તા.૧૩/૧/૨૦૧૨ ની જોગવાઇ અનુસાર સંબંધિત સંસ્થાને નાણા સહાય આપવામાં આવે છે.
THANKS TO PURAN GONDLIYA

પરિવર્તન થકી પ્રગતિ (કેલિડોસ્કોપ)
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
આ સૃષ્ટિમાં જો કોઈ વસ્તુ કાયમી હોય તો તે પરિવર્તન છે. દરેક ચીજ સતત પરિવર્તનશીલ છે અને એ પરિવર્તન અનિયમિત લાગે તેવી નિયમિત રીતે થતું હોય છે. જાણી પણ ન શકાય કે કલ્પી પણ ન શકાય એવા વિરાટ વિશ્વમાં ક્યાંય અવ્યવસ્થા નથી. કોઈક વિશિષ્ઠ પ્રકારની વ્યવસ્થા, ઓર્ડર, નિયમનથી તે ચાલ્યા કરે છે.
જીવન વિશે અને વિશ્વ વિશે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ અને કદાચ ક્યારેય પૂરેપૂરું જાણી શકીએ તેમ નથી એટલો એનો વ્યાપ અને ઊંડાણ છે. સમય, પ્રકાશ કે અંતર કશાને આપણે સ્પષ્ટ રીતે સમજી શકતા નથી, પરંતુ એક વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય છે કે જગતની દરેક ચીજ હર ક્ષણે પરિવર્તનશીલ છે અને એક મનુષ્ય તરીકે આ પરિવર્તનમાં આપણે વિશિષ્ટ રીતે ભાગ લઈ શકીએ તેમ છીએ.
જો પરિવર્તન સતત થતું ન હોય તો ઉત્ક્રાંતિ શક્ય જ ન બનત. દરેક ચીજ અને દરેક જીવમાં પરિવર્તન થયા જ કરે છે, પરંતુ કેટલાક નાનકડા જીવો અને વનસ્પતિમાં એની ક્રિયા ધીમી અને ખાસ ચોકઠામાં બંધાયેલી હોય છે. મોટાં પ્રાણીઓ પણ કુદરતના નિયમોના ખાસ ચોકઠામાં બંધાયેલાં દેખાય છે. માત્ર મનુષ્ય આ પરિવર્તનની ક્રિયામાં કેટલેક અંશે પોતાની રીતે ભાગ લઈ શકે છે.

આનો અર્થ એ નથી કે મનુષ્ય બધી બાબતમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. માત્ર બીજા કેટલાક જીવો કરતાં તે થોડોક વધારે સ્વતંત્ર છે. અને એની થોડીક સ્વતંત્રતાએ એને આખીયે જીવસૃષ્ટિમાં સૌથી ટોચનું સ્થાન આપ્યું છે. પાંચ-સાત કે આઠ ફૂટના માનવીને એણે વિરાટ બનાવી દીધો છે.
વૃક્ષો પોતાની ઇચ્છા પ્રમાણ વધી શકતાં નથી. પક્ષીઓ પોતાની ઇચ્છા પ્રમાણે પોતાનું રહેઠાણ પણ નક્કી કરી શકતાં નથી. પ્રાણીઓ પણ કુદરત સામે લાચાર છે. માછલીને દરિયો છોડીને ધરતી પર રહેવું હોય તો તે રહી શકતી નથી, કારણ કે તેના શરીરની રચના જ એવી છે કે એવો પ્રયત્ન તેના માટે મૃત્યુ લઈ આવે. ઝાડની ટોચે રહેતાં પક્ષીઓ ઝાડના થડની બખોલમાં પોતાનો માળો બનાવી શકતાં નથી કે બરફમાં વસતાં સીલ પ્રાણીઓ વિષુવવૃત્ત પર જઈને વસી શકતાં નથી.
મનુષ્યના શરીરની રચના એવી અદ્ભુત છે કે તે ભારે ઠંડીમાં કે સખત ગરમીમાં પણ રહી શકે છે અને તેની બુદ્ધિ એટલી વિકસિત છે કે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનાં સાધનો તે શોધી શકે છે. શરીર અને મનની અદ્ભુત કરામતને કારણે મનુષ્ય કુદરતી પરિવર્તન સાથે તાલ મિલાવી શકે છે, એટલું જ નહીં, પરંતુ અમુક અંશે પોતાને મનગમતું પરિવર્તન સર્જી પણ શકે છે. અને આ પરિવર્તનમાં સૌથી અગત્યનો ભાગ તેનું મન ભજવી શકે છે. મનુષ્યનું મન એટલું અજબ અને શક્તિશાળી છે અને તેના વિચારોની શક્તિ એટલી પ્રબળ છે કે પોતાને અનુકૂળ પરિવર્તન તે સર્જી શકે છે. પરંતુ આ અનુકૂળ પરિવર્તનની વિચિત્રતા એવી છે કે એમાં જ મનુષ્ય માટે તેની પ્રગતિ અને અધોગતિ છુપાયેલી હોય છે. પરિવર્તનની ક્રિયા તો એક સતત ચાલતી ક્રિયા છે, તેમાં મનુષ્ય કઈ રીતે ભાગ લે છે તેના પર પોતાના ભાવિનો અને વિકાસનો આધાર રહે છે.
ફારસી સાહિત્યમાં ઈરાનના એક રાજકુમારની પ્રખ્યાત કથા છે. રાજકુમાર વિકલાંગ હતો. તેનાં શરીરનાં અંગો અવિકસિત હતાં અને ખૂંધ નીકળેલી હતી. એ શરીરને સૌષ્ઠવયુક્ત બનાવવા માટે એક ડાહ્યા પુરુષે રાજાને સલાહ આપી કે, રાજકુમારના મહેલમાં તેના જ કદની અને તેના જ ચહેરામહોરાની તેની જ હોય તેવી, પણ સુંદર શરીરસૌષ્ઠવવાળી મૂર્તિ મૂકવામાં આવે. રાત-દિવસ રાજકુમાર એ સૌષ્ઠવવાળી મૂર્તિના સંસર્ગમાં જ રહે, તેની છાપ જ તેના મનમાં અંકિત થતી રહે, તેના જ વિચારો તેના મનમાં ઘોળાતા રહે અને એને આદર્શ માનીને રાજકુમાર શારીરિક વ્યાયામ કરતો રહે, તો તેના શરીરમાં ચોક્કસ ફેર પડી શકે. અને કહે છે કે પ્રયોગની જાદુઈ અસર રાજકુમાર ઉપર થઈ. તેની ખૂંધ ધીમે ધીમે ચાલી ગઈ. તેનાં અંગો વિકસવા લાગ્યાં અને સમય જતાં તે પેલી મૂર્તિ જેવો જ સુંદર રાજકુમાર બની ગયો.
આમ તો આ એક કથા છે, પરંતુ મનની વિધેયક શક્તિની અદ્ભુત વાત તેમાં વર્ણવેલી છે અને તે જરાય ખોટી નથી. મનની અપાર શક્તિને થોડી પણ કામે લગાડીને ચમત્કારિક રીતે સાજી થયેલી કે સામાન્યમાંથી અસામાન્ય બનેલી અનેક વ્યક્તિઓના દાખલા માનવ ઇતિહાસમાં નોંધાયેલા છે. સેન્ડો તરીકે વિશ્વવિખ્યાત થયેલ પહેલવાન યુજીન સેન્ડો જ્યારે નાનો હતો ત્યારે દૂબળોપાતળો, નબળા શરીરવાળો હતો. રોમમાં અને ગ્રીસમાં એણે અદ્ભુત શરીરસૌષ્ઠવવાળી મૂર્તિઓ જોઈ. એની અસર એના મનમાં એટલી તો ઊંડી પડી કે એ જ ઘડીથી પોતાનું શરીર એવું બનાવવાની તાલાવેલી એને લાગી ગઈ અને વ્યાયામ દ્વારા શરીરને એણે એવું તો સુંદર બનાવ્યું કે એના શરીરના સ્નાયુઓને સ્પર્શ કરવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર થતા. આરસમાંથી કંડારીને બનાવ્યાં હોય એવાં દેખાવડાં એનાં અંગો હતાં.
વિખ્યાત મનોવિજ્ઞાાની વિલિયમ જેમ્સ કહેતા કે માણસ પોતાના મનનું વલણ બદલીને પોતાના સમગ્ર જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને એ જ ક્રાંતિ છે. પ્રાણીઓ પોતાના મનના વલણને બદલી શકતાં નથી. માણસ પ્રયત્નપૂર્વક પોતાના મનના વલણને બદલી શકે છે. આ એક વિરાટ પગલું છે.
માત્ર તમારા વિચારો સતત બદલવાથી, નકારાત્મક વિચારોને દૂર રાખવાથી અને પ્રયત્નપૂર્વક વિધેયક વિચારો કરવાથી મનના વલણને બદલી શકાય છે. એવા વિચારો તમારી ટેવો બદલી શકે છે. ધીમે ધીમે બદલાતી ટેવો આખાયે માણસને બદલી નાખે છે અને બદલાયેલો માણસ નવું જ જીવન જીવી શકે છે. આ વાત ઘણી અઘરી છે પણ અશક્ય નથી. જે વસ્તુ કરવા પાછળ માણસ પડે છે તે વસ્તુ ક્યારેક તો તે સિદ્ધ કરી જ શકે છે. નાના અમથા વિચારોથી મનનું ઘડતર થાય છે. મનના વલણ પ્રમાણે ટેવો બદલાય છે અને નાનકડી ટેવો દ્વારા જડ માણસનું ચારિત્ર્ય ઘડાય છે.
કુદરતમાં પરિવર્તનની ક્રિયા તો ચાલુ જ રહે છે. તમે જો તમારી ઇચ્છા પ્રમાણેનું પરિવર્તન ન કરો તો બીજી રીતે પણ પરિવર્તન તો થવાનું જ છે. તમે જેવા હો તેવા સ્થિર તો રહી શકવાના જ નથી. એટલે કુદરતની સાથે રહીને પોતાને મનગમતું પરિવર્તન કરવું એ એક જ સારો માર્ગ તમારી સામે ખુલ્લો રહે છે.
તમારું મન અતિ શક્તિશાળી છે, પણ એટલું જ ચંચળ છે. તેને તમે ઇચ્છા પ્રમાણે દર વખતે કામે લગાડી શકતા નથી. આવા ચંચળ મનને યોગ્ય રીતે કામમાં રાખવા માટે તેને યોગ્ય ખોરાક સતત આપતા રહેવાની જરૂર હોય છે. સારા મિત્રો સાથે રહીને તમે મનને સારો ખોરાક આપી શકો છો. તમારી વાતો, તમારી નાની-મોટી હરકતો, ગમા અને અણગમા તમારા મનના વલણને ઘડી શકે છે. તમારો પ્રેમ તમારી જાતને ઘડી શકે છે. તમે જે વ્યક્તિઓને ચાહો છો તે તમારા મનના વલણને વળાંક આપી શકે છે. તમે જે કાંઈ વાંચો છો તે તમારા મનને સાફ કરે કે મેલું કરી શકે છે. તમે જે કોઈની સોબત પસંદ કરો છો તેની અસર તમારા મન ઉપર પડયા વિના રહેતી નથી. એટલે ઉત્તમ પુસ્તકો ઉત્તમ મિત્ર બની શકે છે. જે વ્યક્તિઓ તરફ તમને વળગણ હોય છે તે તમારા ભાગ્યનું ઘડતર કરી શકે છે. મહાન આધ્યાત્મિક વ્યક્તિઓ ઉપરનો તમારો પ્રેમ તમારા જીવનમાં તમે કલ્પના પણ ન કરી શકો એવું મોટું પરિવર્તન સર્જી શકે છે. અબ્રાહમ લિંકન કે શેક્સપિયરની સોબત (તેમના વિચારો અને લખાણના રૂપમાં) બહુ મોટી અસર મન ઉપર મૂકી જાય છે.
સંગીત કે કલા જેનું ખાસ કોઈ ભૌતિક મૂલ્ય નથી એ માણસના મનના પરિવર્તનમાં બહુ જ મોટો ભાગ ભજવી શકે છે. સમગ્ર વિશ્વ સતત પરિવર્તનશીલ છે. એ પરિવર્તનને આપણે કોઈ રીતે અટકાવી શકીએ તેમ નથી. એમાં કઈ રીતે આપણે ભાગ લેવો એ જ માત્ર આપણે વિચારવાનું રહે છે.



Get Update Easy