HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

25 ફેબ્રુઆરી, 2015

ગુજરાત BUDGET: સરદાર સરોવર માટે 9 હજાર, સ્ટેચ્યુ ઓફ યુનિટિને 915 કરોડ, મેટ્રો માટે રૂ. 611 કરોડ

ગાંધીનગર : નાણાં મંત્રી સૌરભ પટેલે ગુજરાતનું વર્ષ 2015-16નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું છે. બજેટનું કદ 1,39,139 કરોડ જે ગત વર્ષ 2014-15 વર્ષના બજેટ કરતા લગભગ 10 ટકા જેટલો વધારો સૂચવે છે. બજેટમાં વાર્ષિક યોજનાનું કદ 79,295 કરોડ છે. જે ગત વર્ષ કરતા 11 ટકા વધારે છે. રાજ્યનું આ બજેટ 125 કરોડની એકંદર પુરાંત તેમજ 9308 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે.

બજેટના મુખ્ય મુદ્દા

-વાર્ષિક યોજનાનું કદ 79295.11 કરોડ
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 611 કરોડ
-સરદાર સરોવર યોજના માટે 9 હજાર કરોડની જોગવાઈ
-નર્મદા ડેમ પર ગેટ મુકવા 216 કરોડ
-સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે 915 કરોડની જોગવાઈ
-સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે 2102 કરોડ
-ગ્રામીણ વિકાસ માટે 2238 કરોડની જોગવાઈ
-સામાજિક યોજનાઓ 38,484 કરોડની ફાળવણી, કુલ ફાળવણીમાં 48.53 ટકા હિસ્સો
- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(NULM) અને ઉમ્મીદ યોજના માટે રૂ. 53.12 કરોડ
- મિશન મંગલમ(અર્બન) યોજના માટે 31.40 કરોડ
-કલ્પસર યોજના માટે 4 હજાર કરોડ
-સબમાઈનોર કેનાલો માટે 2100 કરોડ

કરવેરાની દરખાસ્તો

-ઈમિટેશન જ્વલેરી પર વેરો 5 ટકાથી ઘટાડીને 1 એક ટકા કરવાની દરખાસ્ત
-ગર્ભે નિરોધક ગોળીઓ પર સંપૂર્ણ વેરા માફી
-અમદાવાદ અને વડોદરા સિવાયના એવિએશન ટર્બાઈન ફ્લૂએલ પરની ડ્યુટી ઘટાડાઈ
-ઈસબગુલ પર સંપૂર્ણ વેરામાફી
-ટેકનિકલ ટેક્સટાઈલમાં રો મટિરિયલ પર 5 ટકાના દર

કૃષિ અને સહકાર વિભાગ ક્ષેત્રે જોગવાઈ

-કૃષિ અને સહકાર વિભાગ માટે કુલ 4878.20 કરોડ
-રાષ્ટ્રીય કૃષિ વિકાર યોજના હેઠળ 601 કરોડ
-કૃષિ સંશોધન અને શિક્ષણ હેઠળ કૃષિ યુનિવર્સિટી માટે 346.59 કરોડ
-ખેતીની જમીનમાં જળ સંરક્ષણની કામગીરી માટે 254.68 કરોડ
-નવી ઓર્ગેનિક ફાર્મિગ પોલિસી અમલમાં મુકવા 10 કરોડ
-ખેડૂતોને નવા ટ્રેક્ટર માટે સહાય માટે 120 કરોડ
-સિંચાઈ માટે 13937 કરોડની જોગવાઈ

આરોગ્ય ક્ષેત્રે જોગવાઈ

-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 7821.63 કરોડ
-મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના પેટે 120 કરોડ
-અંતરિયાળ ગામો સુધી આરોગ્ય કેન્દ્રોનો વ્યાપ વધારવા નવા 1035 પેટા આરોગ્ય કેન્દ્ર, 130 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 32 સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાના આયોજન માટે 38.19 કરોડ
-108 ઈમરજન્સી સેવામાં 110 નવી એમ્બ્યુલસન પુરી પાડવા માટે 16.50 કરોડ
-રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં લેબોરેટરી અને રેડિયોલજીના આધુનિક ઉપકરણો માટે 231.70 કરોડ
-રાજ્યની 10 હોસ્પિટલો ખાતે હેમોડાયાલિસિસ યુનિટ શરૂ કરવા 1.50 કરોડ

સામાજિક સહાય ક્ષેત્રે જોગવાઈ

-વિધવા સહાય યોજના હેઠળ 1.25 લાખ લાભાર્થીઓ માટે 177.18 કરોડ
-140 વર્તમાન મહિલા અદાલતો તતા 20 નવી મહિલા અદાલતો માટે 44.31 કરોડ
-વૃધ્ધ પેન્શન યોજના હેઠળ 5.50 લાખ લાભાર્થીઓ માટે 286.86 કરોડ
-નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે 48.52 કરોડ
-વિકલાંગ પેન્શન યોજના માટે 50 કરોડ

શિક્ષણ ક્ષેત્રે જોગવાઈ

-શિક્ષણ વિભાગ હેઠળ કુલ 22797.79 કરોડની જોગવાઈ
-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે 1122.94 કરોડ
-સૌરાષ્ટ્રમાં એક નવી યુનિવર્સિટી, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, મહીસાગર સહિતના આદિજાતિ વિસ્તારોને આવરી લેતી એક નવી યુનુવર્સિટી માટે 55 કરોડ
-જે તાલુકાઓમાં એક પણ કોલેજ નથી ત્યા કોલેજ શરૂ કરવાનું આયોજન
-લીલીયા, બરવાળા, ગારિયાધાર, ઉમરપાડા, ખંભાળીયા, સાંતલપુર, મોરવા-હડફ, માંડલ, પાટડી અને ક્વાંટ ખાતે નવી કોલેજ માટે 20 કરોડ

આદિજાતી વિકાસ ક્ષેત્રે જોગવાઈ

-આદિજાતી વિકાસ માટે કુલ 9690.53 કરોડનું આયોજન઼
-ધોરણ પાંચ સુધી કન્યાઓને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
- ધોરણ આઠ સુધી કુંમારોને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
-પ્રિ મેટ્રિક સ્કોલરશીપ માટે કુલ 178.75 કરોડ
-આશ્રમશાળા માટે વિદ્યાર્થીદીઠ 1500 રૂપિયાની સહાય, કુલ જોગવાઈ 36.30 કરોડ
-આદિજાતી વિસ્તારોમાં રસ્તાઓ માટે 50 કરોડ

પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે જોગવાઈ

- સરદાર આવાસ યોજના માટે રૂ. 616.25 કરોડ
-બીપીએલ કુંટુંબોને આવાસ સહાય માટે ઇન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 254.76 કરોડ
- સાગરલક્ષ્મી પ્રોજેક્ટ રૂ. 9.20 કરોડ
પાણી પુરવઠો
- ગ્રામ્ય પીવાના પાણી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 532 કરોડ
- વનબંધુ કલ્યાણ યોજના માટે રૂ. 445 કરોડ
-વન અને પર્યાવરણ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠલ કુલ જોગવાઈ રૂ. 1126 કરોડ
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ગરમ પાણીની સગવડ માટે રૂ. 5 કરોડ
- ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માટે 64.58 કરોડ
-નેશનલ સાયક્લોન રિસ્ક મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ. 60 કરોડ
- ટ્રાફિક સમસ્યા હલ કરવા 1500 વધારાની જગ્યા ભરવા માટે રૂ. 21.84 કરોડની જોગવાઇ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠળ રૂ. 10269.74 કરોડ
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 3069.79 કરોડ
- શહેરી ગરીબોને વાજબી કિંમતે ઘર આપવા મુખ્યમંત્રી ગૃહ યોજાના માટે રૂ. 1100 કરોડ
- આગામી વર્ષમાં અંદાજે બે લાખ નવા મકાનોનું આયોજન
- સ્લમ રિહેબીલિટેશનની પીપીપી યોજના અંતર્ગત અંદાજે 50 હજાર આવાસોનું આયોજન
-સ્માર્ટ સિટી માટે અર્બન ડેવલપમેન્ટ મિશન માટે રૂ. 575 કરોડ
-પંચાયત હસ્તકના રસ્તા પહોળા કરવા 175 કરોડ
-કિસાનપથ યોજના હેઠળ 70 કરોડ
-નવા જિલ્લાઓ તથા તાલુકાઓમાં સેવા સદન માટે 143 કરોડ
-અમદાવાદમાં બહુમાળી મકાન તથા સરકારી કર્મચારીઓ માટે મકાન બાંધવા 60.89 કરોડ

ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે જોગવાઈ

-ઉર્જા ક્ષેત્ર માટે 6660 કરોડ
-ખેડૂતો. ગ્રામ પંચાયતો, ગરીબ પરિવારોને વીજળી બિલમાં રાહત માટે 4470 કરોડ
-સિક્કા અને ભાવનગરમાં નવાં વીજમથખો દ્વારા 1000 મેગા વોટ વીજ ઉત્પાદન
-42,700 ગરીબ પરિવારોને વિના મૂલ્યે વીજ જોડાણ
-એક લાખથી વધુ નવાં કૃષિ જોડાણો માટે 1158.13 કરોડ
-સાગર ખેડૂ યોજના હેઠળ 425 કરોડ
-કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ 150 કરોડ
-25 નવાં સીઓએનજી સ્ટેશન, 1.75 લાખ નવાં પીએનજી દજોડાણ
-ખેડૂતોને સોલાર પંપથી સિંચાઈ માટે 60 કરોડ
-ખેડૂત પરિવરોને સોલાર ઉર્જા માટે 50 કરોડ

માર્ગ અને મકાન ક્ષેત્રે જોગવાઈ

-માર્ગ અને મકાન વિભાગનની કુલ જોગવાઈ 8297 કરોડ
-કામ ચાલુ છે તેવા 30 પુલો તથા નવા પુલો માટે 170 કરોડ
-બેટ દ્વારકાને જોડતો પુલ
-વડોદરા-અંકલેશ્વર રોડ માટે 50 કરોડ
-ઘોરીમાર્ગોને દ્વિમાર્ગીય કરવા 282 કરોડ
-રસ્તા અને આરઓબી માટે 135 કરોડ
-ગુજરાત સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ હેઠળ 407કરોડ
-રસ્તાઓનું રીસરફેશિંગ કરવા માટે 491 કરોડ
-આદિજાતી વિસ્તારમાં 250થી ઓછી વસ્તીનાં ગામોને જોડવા માટે 68 કરોડ
  
 

બદ્રી કેદાર યાત્રા એટલે પ્રવાસ સાથે ભક્તિનો સંગમ
હિમ આચ્છાદિત પર્વતો, સ્થાપત્ય અને ઈશ્વર આરાધનાનો લાભ એટલે ચાર ધામ યાત્રા. બદરીનાથ-કેદારનાથના પવિત્ર મંદિરો પ્રાચીનકાળથી જ ભારતીય જનતાના હૃદયમાં ભક્તિ-ભાવનાને જાગૃત રાખી રહ્યા છે.
પૌરાણિક કથા અનુસાર ભગીરથ રાજાની પ્રાર્થના અને તપથી પ્રસન્ન થઈને દેવી ગંગાએ પૃથ્વી પર અવતરણ કરવા વિચાર્યુ. ગંગાનો પ્રચંડ પ્રવાહ ધરતી ઝીલી શકશે નહીં તેવું લાગતા શિવજીને ગંગાને જીલવા પ્રાર્થના કરી. શિવજીએ જટામાં ઝીલી લઈને ગંગાને નદીના સ્વરૂપમાં પૃથ્વી પર બાર ધારામાં વહેતી કરી. આમ ગંગા ધારાઓમાં વિભક્તથઈને પૃથ્વી પર પવિત્ર માના રૂપે અવતરિત થઈ.
ચાર મુખ્ય ધારાઓ અલકનંદા, મંદાકિની, ભગીરથી તથા યમુનાના સ્થળ મુખ્ય તીર્થ ગણાયા. તે'ચારધામ'ના નામે ઓળખવા લાગ્યા. બદરીનાથ અલકનંદાના તટ પર જે ભગવાન વિષ્ણુને સર્મિપત છે. કેદારનાથ મંદાકિનીના તટ પર જે ભગવાન શિવને સર્મિપત છે.
બંને મંદિરો ઉચ્ચ હિમાચ્છાદિત પર્વતો પર અનોખા પ્રાકૃતિક સૌંદર્યની વચમાં, વિસ્તૃત ઘાસના મેદાનથી ઢંકાયેલી ઘાટીમાં આવેલાં છે.
બદરીનાથના જોવા લાયક સ્થળોમાં શ્રી બદરીનાથજી મંદિર, તપ્તકુંડ, સૂર્યકુંડ, નારદકુંડ, માતા મૂર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આસપાસના સ્થળોમાં માનાગ્રામ, વ્યાસ ગુફા- ગણેશ ગુફા- ભીમપુલ- વસુધારા પ્રપાત, પુષ્પઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, હેમકુંડ સાહિબ, જોશીમઠ, દેવ પ્રયાગ,  ગ્વાલધામ, ચમોલી, અને ગોવિંદઘાટ જોવા લાયક સ્થળો છે.
આકાશ માર્ગે દહેરાદૂન સુધી જઈ શકાય છે. ત્યાંથી પછી આગળ જવાય છે. નજીકનું રેલ સ્ટેશન ઋષિકેશ છે  તે ઋષિકેશ - હરદ્વાર તથા અન્ય શહેરો સાથે સડકમાર્ગે જોડાયેલા છે.
કેદારનાથ  જવા માટે બદરીનાથથી માર્ગ રૂદ્રપ્રયાગ બાજુ વળી જાય છે અને મંદાકિની ઘાટી સુધી જાય છે. ગૌરીકુંડથી પછી કેદારનાથ માટેનો રસ્તો શરૂ થાય છે.
કેદારનાથમાં જોવાલાયક સથળોમાં કેદારનાથ મંદિર, આદિ શંકરાચાર્યની સમાધિ, ભૈરવનાથ મંદિર મુખ્ય છે. નજીકના સ્થળોમાં ગાંધી સરોવર, વાસુકી તાલ, ગૌરીકુંડ, સોનાપ્રયાગ, ત્રિયુગી નારાયણ, ગુપ્તકાશી, કખીમઠ, અને અગસ્ત્ય સુનિ  આવેલા છે.
હિમાલયના ચાર ધામની યાત્રા ઉનાળા દરમિયાન જ કરી શકાય છે બદ્રીનાથ કેદારનાથના મંદિરો  નવેમ્બરથી મે સુધી બંધ રહે છે
.
 
Rozgaar Samachar (25 February 2015)

Download : Click here 

Get Update Easy