HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

5 સપ્ટેમ્બર, 2014

TEACHER'S DAY

આજના આ પવિત્ર શિક્ષક દિને (5મી સપ્ટેમ્બર) સૌ સારસ્વત મિત્રોને શુભેચ્છાઓ...
5 સપ્ટેમ્બર એટલે મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ.તેમની યાદમાં જ દર વર્ષે
 5મી  સપ્ટેમ્બર ભારતમાં "શિક્ષક દિન"તરીકે ઉજવાય છે શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો આ ખાસ દિન છે. તો આવો આ ખાસ દિને "બાળકોને આપે માર્ગદર્શન શિક્ષકનો છે આ ખાસ દિન" .  
આજનો સુવિચાર:-
તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે.
– ડૉ. રાધાકૃષ્ણન

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન 

શિક્ષક દિન વિશેષ "'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ = વેદાંત,હિંદુ
જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''
સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
==
જીવન ==
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.
   




























શિક્ષક એટલે કોણ ?
શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,
અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,
વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,
કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,
શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,
સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,
પરિવર્તનો દૂત બને તે શિક્ષક,
મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,
નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,
સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,
પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,
એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક,
સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,
વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,
રાવણને રામ’, દાનવને માનવબનાવે તે "શિક્ષક"
GENERAL KNOWLEDGE : Teachers Day Is Celebrated In
••• Teachers Day Is Celebrated In •••
••• India = 5 Sept
••• Pakistan = 5 Oct
••• China = 10 Sept
••• Germany = 5 Oct
••• Sri Lanka = 6 Oct
••• Malaysia = 16 May
••• New Zealand = 29 Oct
••• Brazil = 15 Oct
જ્ઞાન  સપ્તાહના સોંગ 
  1. ગુરુ વંદના
  2. જીવન મેં કુછ કરના હૈ તો...
  3. સંગઠન ગઢે ચલે
  4. ગુર્જરીના ગૃહકુંજે અમારું..
  5. જય માતૃભમિ જય ભારતી ..
  6. જીવનજયોત જગાવો
  7. અમને અમારા ભારતની માટી પર..
  8. ભારત ભૂમિ અમારી તીર્થ ભૂમિ..mp3
  9. જન્‍મભૂમિ કર્મભૂમિ સ્‍વર્ગ સે મહાન હૈ...mp3
  10. જય જનની જય પુણ્‍ય ધરા...mp3
  11. પૂર્ણ વિજય સંકલ્‍પ અમારો...mp3
  12. કર્મવીર કો ફર્ક ન પડતા...mp3
  13. માતૃભૂમિ પિતૃભૂમિ...mp3
  14. દેશ હમેં દેતા હૈ સબ કુછ...mp3
  15. સંસ્‍કારની આ સાધના...mp3
  16. ભારતમાના લાલ અમે સૌ...mp3
  17. જન્‍મભૂમિ કર્મભૂમિ સ્‍વર્ગ સે મહાન હૈ...mp3

તમારે ખૂબ સુખી થવું છે? તો આટલું અવશ્ય કરો……

૧.    ના પહોંચી શકાય તેવું ધ્યેય નક્કી ના કરો.

૨.    તમારી પાસે જે કાંઈ છે અને જેવું છે તે ખૂબ સરસ છે તેવું  દ્રઢપણે માનો એટલે કે તમે દરેક બાબતમાં સંતોષ રાખો.

૩.    તમાર જીવનની દરેક બાબતમાં, મને આટલું મળવું જ જોઈએ કે  હું કહું તે પ્રમાણે થવું જ જોઈએ, આવો આગ્રહ ન રાખો.

૪.  તમારા જીવનના સારા માઠા પ્રસંગોમાં તમે એકલા જવાબદાર નથી પણ પરિસ્થિતિ અને સંજોગોને કારણે આવા પ્રસંગો બન્યા છે માટે જે બન્યું છે તેને ઈશ્વરેચ્છા માની સ્વીકારી લો.

૫.   થોડીક આયોજનવાળી જીંદગી જીવો. એટલે કે તમારા જીવનને  સ્પર્શતી દરેક બાબતોમાં વ્યવસ્થિત બનો. આવેશમાં આવીને કે ઉત્સાહમાં આવી કોઇપણ અવિચારી પગલું ના  ભરો.

૬.    મનની વૃત્તિ સમાધાનકારી રાખો એટલે કે જે મળ્યું છે તે સરસ છે, જે બને છે તે સરસ છે, જે નથી મળ્યું કે નથી બન્યું તે પણ  સરસ છે એવું માનો.

૭.   કોઈ પણ પ્રકારની ચેલેંજ’ (કસોટી કરે તેવી પરિસ્થિતિ) ને તમે  ક્યારે પહોંચી શકો કે જ્યારે તમારામાં દ્રઢ આત્મવિશ્વાસહોય.  આ માટે મન મજબુત અને સંગીન જોઈએ.

૮.   સ્વસ્થ શરીરમાં મન પણ સ્વસ્થ અને સંગીન હોય છે માટે  સ્વસ્થ  નિરોગી શરીર માટ નિયમિત ગમતી કસરત કરો

સ્વજન

·         સમજે તે સ્વજન

·         પ્રજાળે તે પ્રિયજન

·         દઝાડે તે દુશ્મન

·          દગોગે તે દૂર્જન

 



Get Update Easy