HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

9 સપ્ટેમ્બર, 2014

Health -Tips

આજનો સુવિચાર:-
અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે.
– ગાંધીજી

 Health -Tips નાની વરિયાળી ઘણા રોગોમાં લાભકારી
health tips
 
વરિયાળી મસાલા રૂપે તમારી રસોઈને ટેસ્ટી કરવા સાથે એમાં સેહતના પણ ઘણા રાજ છુપાયેલા છે. વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. એમાં કેલ્શિયમ ,આયરન ફાસ્ફોરસ સોડિયમ અને પોટેશિયમ હોય છે. આજે આપણે જાણીએ વરિયાળીના ફાયદા...
 મુખની દુર્ગંધ 
 ભોજન કર્યા પછી એક ચમચી વરિયાળીથી મુખની દુર્ગંધ દૂર થાય છે અને ભોજન પણ સારી રીતે પચી જાય છે.
 પેટની સમસ્યાઓથી છુટકારા 
 વરિયાળી  ખાવાથી પેટની સમસ્યાઓથી મુક્તિ મળે છે. વરિયાળી અને શાકરનો પાવડર બનાવી અને પાણી સાથે એક એક ચમચી સવાર-સાંજે લેવાથી કબ્જિયાત અને ગૈસથી રાહત મળે છે સાથે સાથે આંખોના રોગો દૂર થાય છે. 
 ગળામાં ખરાશ 
 જો તમારા ગળામાં ખરાશ છે તો  વરિયાલી ચાવવી તમારા માટે લાભકારી છે.વરિયાલી ચાવાથી ગળું સાફ થઈ જાય છે.
 ઉબકા આવવા 
 વરિયાળીનો શરબત બનાવી પીવાથી ઉબકા આવવાની સમસ્યાથી છુટકારો મળે છે. આથી પેટની ગર્મીથી પણ રાહત મળે છે. 
 આંખોનું તેજ વધારે 
  વરિયાળી અને શાકરનો પાવડર બનાવી અને પાણી સાથે એક એક ચમચી સવાર-સાંજે સેવન કરવાથી આંખોના તેજ વધે છે. 
ત્વચા માટે ફાયદાકારી 
 સવારે સાંજે ખાલી પેટ વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે. જેથી સ્કીનમાં ચમક આવે છે.  
ખાટી ડકારો
 જો તમને ખાટી ડકાર આવે છે તો વરિયાળીને પાણીમાં ઉકાળી તેમાં શાકર નાખી દો. આ મિશ્રણને પિવું આથી ખાટી ડકારોથી રાહત મળે છે.

 

Get Update Easy