HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 ઑગસ્ટ, 2014

શ્રાવણ વિશેષ : આસ્થા અને સાહસનું બીજુ નામ છે અમરનાથ યાત્રા


શ્રાવણ વિશેષ : આસ્થા અને સાહસનું બીજુ નામ છે અમરનાથ યાત્રા

શ્રદ્ધાની રોમાંચક યાત્રા એટલે અમરનાથ યાત્રા. સમુદ્રતળેટીથી 14500 ફૂટની ઊંચાઈ પર વિશાળ પ્રાકૃતિક ગુફાના રૂપમાં સ્થિત છે આ તીર્થ. આ ગુફામાં ભગવાન શિવ હિમલિંગના રૂપમાં આકાર લે છે. દર શ્રાવણ માસમાં આ હિમ શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. અમરનાથનો સંબંધ અમરત્વ પ્રાપ્ત કરવાની કથા સાથે છે. માન્યતા છે કે એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવને અમરકથા સંભળાવાનો આગ્રહ કર્યો. કથા તેઓ એવા સ્થાન પર સંભળાવવા ઇચ્છતા હતા જ્યાં અન્ય કોઇ તે સાંભળી ન શકે. આના માટે માટે તેમણે પોતાના ત્રિશુળથી એક પર્વતમાં વાર કરી ગુફાનું રૂપ આપ્યું અને ત્યાં જ બેસીને અમરકથા સંભળાવવાની શરૂ કરી. શિવ-પાર્વતીના પ્રસ્થાન બાદ આ પવિત્ર ગુફા કે અમરનાથ તરીકે ઓળખાવા લાગી. દર વર્ષે શ્રાવણમાં શિવ પોતાના ભક્તોને પ્રતીક રૂપે અહીં દર્શન આપે છે. અહીં પ્રાકૃતિક રૂપે બને છે.


છડી મુબારક યાત્રા - અમરનાથ યાત્રાને છડી મુબારક યાત્રા પણ કહે છે . કથા છે કે સૌથી પહેલા મરહ્રિષ ભૃગુએ અહીં શ્રાવણ પૂર્ણિમાના રોજ પવિત્ર હિમલિંગના દર્શન કર્યા હતા. તેમણે એ જ દિવસે પોતાના એક શિષ્યને પ્રહરીના રૂપમાં છડી સહિત અહીં મોકલ્યો હતો. માટે આજે પણ અહીં છડી લાવવાની પરંપરા છે. દરવર્ષે અહીં શ્રાવણમાં ઋષિ-મુની, સાધુ-સંતો છડી લઇને આવે છે. પહેલગામથી અમરનાથ ગુફાનું અંતર 56 કિલોમીટરનું છે. 16 કિલોમીટર દૂર ચંદનવાડી સુધી યાત્રી જીપ દ્વારા પહોંચી શકે છે. આગળની યાત્રા પગપાળા કરવાની હોય છે. ઇચ્છો તો પહેલગામથી ઘોડાની વ્યવસ્થા કરી શકો છો.

દુર્ગમ પિસ્સુ ખીણ - ચંદનવાડી પ્રાકૃતિક છટાથી ભરપુર સુંદર સ્થળ છે. આનું પ્રાચીન નામ સ્થાનુ આશ્રમ હતું. એકવાર ભગવાન શિવે અહીં તપ કર્યું હતું. બે કિલોમીટર આગળ પિસ્સુ ખીણ નામનું દુર્ગમ સ્થળ આવે છે. આનું વાસ્તવિક નામ પૌષાખ્ય હતું. અહીં એક સમયે દેવાસુર સંગ્રામ થયો હતો. આનાથી આગળ કેટલાંક હિમક્ષેત્રો આવે છે જેને પાર કરીને શેષનાગ પહોંચી શકાય છે. અહીં એક પવિત્ર સરોવર છે. તેનું પ્રાચીન નામ શિશ્રમનાગ હતું. યાત્રાનો પહેલો રાત્રિ પડાવ આ જ છે.

પંજતરણી તરફ - રાતના વિશ્રામ બાદ પંજતરણી તરફ આગળ વધવાનું હોય છે. લગભગ 3 કિમીના સખત ચઢાણ બાદ મહાગુનસ નામનું સ્થાન આવે છે. આ આ યાત્રાનો સૌથી ઊંચો પોઇન્ટ છે. વધુ ઊંચાઈના લીધે અહીં મોટેભાગે બરફનું સામ્રાજ્ય દેખાય છે. કેટલાંક લોકોને અહીં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જોકે અહીંનું નૈસર્ગિક સૌંદર્ય તેમને મોટી રાહત આપે છે. અહીંના ઊંચા-નીચા પથરાળ માર્ગો પર વધતા શ્રદ્ધાળુઓ પહેલા પંજતરણી પહોંચે છે. અહીં રાત્રિ આવાસની વ્યવસ્થા છે. અહીં વહેતી નદીની પાંચ ધારાઓને લીધે તેનું નામ પંચતરણી પડ્યું હતું.

અમરનાથ ગુફા - અહીંથી પવિત્ર અમરનાથ ગુફાનું અંતર છ કિમીનું છે જેના માટે યાત્રીઓ સવારે જલ્દી ઉઠીને નીકળી પડે છે. લગભગ ત્રણ કલાકમાં ગુફા નજીક પહોંચી જાય છે જ્યાં ભક્તોની કતારો લાગેલી હોય છે. વિશાળ ગુફાના રૂપમાં પોતાની મંજિલને સામે જોઇને જ જાણે તેમનો થાક દૂર થઇ જાય છે. ગુફામાં પ્રવેશ કરીને શ્રદ્ધાળુઓ પારદર્શી હિમલિંગના દર્શન કરે છે ત્યારે તેમને કઠણ યાત્રા રૂપી સાધના પૂર્ણ થયાનો અહેસાસ થાય છે. પવિત્ર શિવલિંગની સાથે જ બીજા બે હિમપિંડ દેખાય છે. આ બંનેને પાર્વતી અને ગણેશ માનવામાં આવે છે. અમરનાથ ગુફા લગભગ 30 ફૂટ પહોળી અને 15 ફૂટ કરતા વધુ ઊંચી છે. ગુફાની ગહનતા 50 ફૂટની આસપાસ છે. ગુફાની છત પરથી પડતી પાણીની બુંદો જામવાથી અહીં હિમલિંગ બને છે. આ સ્વનિર્મિત શિવલિંગ ચંદ્રમાના આકાર સાથે વધતં શ્રાવણની પૂનમના રોજ પોતાની પૂર્ણતા મેળવે છે. માટે જ પૂર્ણિમાના દિવસે દર્શનનું વધુ મહત્વ છે.

ગુફાના એક હિસ્સામાં સફેદ રેત નીકળે છે. તેને અમર વિભૂતિ માનીને માથા પર લગાવવામાં આવે છે. પોતાના આરાધ્ય સમક્ષ ઉભેલા ભક્તોની શ્રદ્ધા જોઇને જાણે એવું જ લાગે કે શિવ તેમને સાક્ષાત દર્શન આપી રહ્યાં છે.

જીવન જીવવાની સાચી કલા : ભૂલો અને માફ કરો

ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.

કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે.માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.
" ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે.


 कंप्यूटर माउस, ग्राफिक यूजर इंटरफेस और इंटरनेट की संकल्पना देने वाले अमेरिकी इंजीनियर का निधन

Douglas-Engelbart-Mouse-Internet.jpg
अमेरिकी इंजीनियर डगलस एंजेलबार्ट
कंप्यूटर माउस और इंटरनेट की वर्षों पहले संकल्पना करने वाले अमेरिकी आविष्कारक और इंजीनियर डगलस कार्ल एंजेलबार्ट का मंगलवार रात को निधन हो गया। वह 88 वर्ष के थे।

अंतरराष्ट्रीय मीडिया को डगलस एंजेलबार्ट की बेटी क्रिस्टीना ने बताया कि गुर्दे खराब होने के कारण मंगलवार रात उनके पिता का निधन हो गया।

डगलस ने 1968 में सैन फ्रांसिस्को में जमा हुये विश्व के सर्वश्रेष्ठ कंप्यूटर वैज्ञानिकों के समक्ष एक प्रेजेंटेशन में उन्होंने माउस, ग्राफिक यूजर इंटरफेस (चित्रों पर क्लिक करके कंप्यूटर या मशीन को निर्देश देने की तकनीक) की संकल्पना रखी थी। उनकी प्रयोगशाला ने इंटरनेट के पहले अवतार DARPANet के विकास में भी मदद की थी।
उस समय स्टैनफोर्ड रिसर्च इंस्टीट्य़ूट में कंप्यूटर विशेषज्ञ के रुप में कार्यरत डगलस ने कंप्यूटर माउस की अपनी संकल्पना को साकार रुप देकर उसे सबके समक्ष पेश किया था।

डगलस द्वारा बनाया गया माउस वर्गाकार था, जिसमें दो घूमनेवाले डिस्क लगे थे। डगलस ने ही पहली बार वीडियो कॉन्फ्रेन्सिंग की संकल्पना की थी। उनके सुझाये बहुत से अविष्कारों का हाल ही के दिनों में हकीकत में बदलते हुये देखा गया है।

इसके बाद उन्होंने इंटरनेट की पहली संकल्पना को भी लोगों के समक्ष पेश किया था। डगलस को कंप्यूटर माउस के अविष्कार का फायदा नहीं मिल पाया क्योंकि 1970 में उनका कराया पेटेंट 17 सालों के लिये था और 1987 में समाप्त हो गया। माउस का व्यवसायिक इस्तेमाल तभी शुरू हुआ जब डगलस का इस पर पेटेंट खत्म हो गया।

इसके बाद दुनिया में अरबों माउस बनाये गये और अभी भी उनका इस्तेमाल हो रहा है लेकिन डगलस को उसकी रायल्टी कभी नहीं मिल पायी।
हालांकि अब माउस की जगह तेजी से टच स्क्रीन वाले फोन और टैबलेट रहे हैं लेकिन माउस का उनका अविष्कार अपने समय से बहुत आगे था।

Get Update Easy