HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 ફેબ્રુઆરી, 2022

 પ્રખરતા શોધ કસોટી( TALENT SEARCH TEST)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.પ્રખરતા શોધ કસોટી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

👉પરીક્ષા MCQ (OMR પદ્ધતિ) મુજબ લેવામાં આવશે.

👉આ કસોટીના પ્રશ્નપત્રમાં 1 થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજીયાત છે. દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ છે. પ્રત્યેક સાચા પ્રત્યુત્તરનો 1 ગુણ મળશે. પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે  ¹/3 ગુણ કપાશે.

👉અભ્યાસક્રમ ધોરણ -9 ની કક્ષા પ્રમાણે રહેશે.

👉પ્રશ્નપત્ર -1 માટેનો સમય સવારે 11:00 કલાક થી 01:00 કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે 02:00 કલાક થી 04:00 કલાક દરમ્યાન પ્રશ્નપત્ર -2 લેવામાં આવશે.

 

Get Update Easy