HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 એપ્રિલ, 2016

આજનો વિચાર

  • સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના , શુભભાવના રાખો.
  • ધો.10નું પરીણામ 25 મેના રોજ
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ 17મી મે એ 
  • ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ 22મી મે એ જાહેર થશે

૧૭ વર્ષ પૂરા ન કરનાર વિદ્યાર્થી આ વર્ષથી ગુજકેટ નહીં આપી શકે

- MCIના આદેશ મુજબ ૩૧ ડિસેમ્બરે

- ડોમિસાઈલ સર્ટી સહિતના ત્રણથી ચાર નિયમોમાં ફેરફાર કરાયો

મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા ડોમિસાઈલ સર્ટી સહિતના ત્રણથી ચાર નિયમોમાં ફેરફાર કરાયો
અમદાવાદ,સોમવાર
મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આગામી વર્ષથી મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશને લઈને નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારો કરાયા છે,જે મુજબ એમસીઆઈના આદેશને પગલે મેડિકલ પ્રવેશ સમિતિએ આ વર્ષથી ૩૧મી ડિસેમ્બરે ૧૭ વર્ષ પુરા ન કરનાર વિદ્યાર્થીને ગુજકેટ નહી આપવા દેવાનો નિયમ કર્યો છે.આ ઉપરાંત અન્ય કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.
અત્યાર સુધી મેડિકલ-પેરામેડિકલ પ્રવેશમાં ધો.૧૨ સાયન્સની પરીક્ષા બાદ વિદ્યાર્થીને ૧૮માં વર્ષમાં પ્રવેશ વગર પણ ગુજકેટ આપવા દેવાતી અને ૧૮ વર્ષ પુરા થયે મેડિકલ,ડેન્ટલ તથા પેરામેડિકલમાં પ્રવેશ અપાતો.પરંતુ એમસીઆઈએ આવી છુટ આપવા પર પ્રતિબંધ મુકીને નવો નિયમ કરતા ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિએ પણ શિક્ષણ બોર્ડને લેખિતમાં જાણ કરી દીધી છે કે હવેથી ૩૧મી ડિસેમ્બરે ૧૭ વર્ષ પુરા કરનાર વિદ્યાર્થીને જ ગુજેકટ આપવા દેવી અને ફોર્મ ભરવા દેવુ.આમ આગામી ૧૦મીમેના રોજ લેવાનારી ગુજકેટ પણ ૧૭ વર્ષ પુરા કરનાર વિદ્યાર્થીએ જ આપવાની રહેશે અને તે પ્રમાણે જ બોર્ડે ફોર્મ ભરાવ્યા છે.આ ઉપરાંત ગત વર્ષે રાજ્ય સરકારે એનઆરઆઈ બેઠકો માટે લોકલ વિદ્યાર્થીઓને ફાયદો આપતા ડોમિસાઈલ સર્ટીફીકેટનો જે નિમય કર્યો હતો તે પણ આ વર્ષે એક્ટમાંથી હાઈકોર્ટના આદેશના પગલે કાઢી નખાશે.જ્યારે અન્ય એક મહત્વના નિયમમાં ફેરફાર મુજબ હવેથી પ્રવેશ સમિતિ જે તે કોલેજને રાઉન્ડ પુરા થયા બાદ જે રીતે બેઠકો ભરવાની મંજૂરી આપતી હતી તે રી
તે નહી આપે.


Get Update Easy