HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 જાન્યુઆરી, 2016



ગુજરાતમાં ‘ભરતી ઉત્‍સવ': વર્ગ ૧ થી ૩ની ૧૩૦૦ ખાલી જગ્‍યાઓ ભરવા અભિયાન

   ગાંધીનગર તા.૨૧: રાજ્‍ય સરકારના વહીવટી તંત્રમાં નિવૃતિ તથા પ્રમોશન વગેરેને કારણે તેમજ અગાઉ ભરતી પ્રતિબંધને લઇને હજારો અધિકારીઓ કર્મચારીઓની ખાલી જગ્‍યા હોઇ તેની સીધી અસર વહીવટી તંત્રમાં પડી રહી છે.
   હવે મોડેમોડેથી પણ રાજ્‍ય સરકારે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની તજવીજજ હાથ ધરી છે. જેમાં અગાઉ ૧૦ વર્ષ માટે દોઢ લાખથી વધુ જગ્‍યાઓ ભરવાનો જાહેર કરાયેલ કેલેન્‍ડરમાં પણ કોઇ પ્રક્રિયા હાથ ન ધરતા હવે ચાર વર્ષ સુધીની ખાલી પડેલી ૧૩ હજારથી વધુ જગ્‍યાઓ ભરવાની તજવીજ હાથ ધરી છે.
   રાજ્‍ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વહીવટી તંત્રમાં ખાલી પડેલી જગ્‍યાઓ અંગે ભરતી કરવામાં ન આવતા અને તેમાં નિવૃતિ તથા પ્રમોશનને કારણે ખાલી જગ્‍યાઓનો મોટા પ્રમાણમાં વધારો થતાં વહીવટી તંત્રની કામગીરીમાં અસર થઇ રહી હતી. આવી સ્‍થિતિમાં અગાઉ રાજ્‍ય સરકારે ૨૦૧૪ થી ૨૦૨૩ સુધીના ૧૦ વર્ષ માટે ૧,૫૩,૦૦૦ જેટલી કેનેન્‍ડર ૨૦૧૪માં જાહેર કર્યુ હતું. તે વખતે સરકારે બહાર પાડેલ ઠરાવમાં જે તે વિભાગને પોતાની ખાલી જગ્‍યાઓ ભરવા માટે સરકારની સંબંધિત ભરતી એજન્‍સીને પોતાના માંગણી પત્રકો મોકલી આપવાનું ઠરાવ્‍યું હતું.

   સરકારના વહીવટીતંત્રમાં ખાલી જગ્‍યા અત્‍યારસુધી જેમની તેમ રહેવા પામી છે. એટલું જ નહી તેમાં ઉત્તરોતર વધારો  થતો રહ્યો છે.આવી સ્‍થિતિને લઇ રાજ્‍ય સરકારે હવે તંત્રની ખાલી જગ્‍યાના મુદ્દાને હવે ગંભીરતાથી લઇને ભરતી ઝુંબેશ હાથ ધરવાની કામગીરી શરૂ કરી છે.જે અનુસંધાને  રાજયના સામાન્‍ય વહીવટી વિભાગે ૨૦૧૪ થી લઇને આગામી વર્ષ ૨૦૧૭ સુધીની ખાલી જગ્‍યાઓ કે જે ૧૩૦૧૮ જેટલી થવા જાય છે. તે ભરવા માટેની મંજૂરી આપી દીધી છે અને આ બધી જગ્‍યા એક સામટી ભરવા માટે સંબંધિત વિભાગે ભરતી એજન્‍સીઓને પોતાની માંગણીઓ મોકલી આપવાની રહેશે.વર્ગ-૧ થી વર્ગ-૩ સુધીને આ ૧૩ હજારથી વધુ જગ્‍યાઓ ભરવા માટે હવે રાજ્‍યમાં આગામી સમયમાં કામગીરી શરૂ થઇ જશે જેના કારણે રાજ્‍યના લાખો બેકાર યુવાનોને સરકારી વહીવટી તંત્રમાં જોડાવાની તક મળશે.

IITRAM यूनिवर्सिटी CCC परीक्षा रिजल्ट 4 से 6 जान्यूआरी 2016

Result for the exam date: 04/01/2016   Click Here

Result for the exam date :05/01/2016   Click Here
Result for the exam date :06/01/2016  Click Here

 















Get Update Easy