આજનો વિચાર
- “વિશ્વાસ” વગર નો “સંબંધ” “નેટવર્ક” વગર ના “મોબાઈલ” જેવો છે. કારણ કે “નેટવર્ક” વગર ના “મોબાઈલ” માં લોકો “ગેમ” રમવા માંડે છે.


G = Great
A = Amazing
N = Nice
D = Daring
H = Honest
I = Indian
Happy Birthday to the Father of the Nation Gandhi Jayanti wishes....
મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો

(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
(2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
(3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.
(4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.
(5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
(6) સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
(7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
(8) અભય : નીડર રહેવું, નીડર બનવું.
(9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
(10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
(11) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

મહાત્મા ગાંધીજી દેશની
સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે
પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે
બીજાનું યોગદાન ઓછું દેખાયું. અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના
જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે.
વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્યું.
રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્લેન્ડના માનવતાવાદી જહોન રસ્કિન, રશિયાના લિયો ટોલ્સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. "આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં." ઇશાવાષ્ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્યાલ સ્ફૂર્યો હતો. અર્થશાસ્રના "આર્થિક માનવ"ના ખ્યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. "જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે." એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્યાત્મના રંગે રંગી નાખ્યા હતા.
પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇ લખે છે "રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્થા જૉવા મળે છે."
ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્યું, "વર્ષોપહેલાં મારા પત્રવ્યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્યાત્મિક જરૂરિયાતના થઇ પડયા છે." નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, "સત્ય એ જ ભગવાન છે." ગાંધીજીએ કહ્યું છે, "જો સત્ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી." ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, "મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે."
વર્ષ 1917માં ખેડા જીલ્લામાં વધુ પડતો
વરસાદ થવાના લીધે બધો પાક ધોવાઇ ગયો હતો, છતાં ત્યાંના સરકારી અધિકારીઓએ
ખેડૂતોને મહેસૂલ સામે કોઇ છૂટ આપી નહોતી. તે પછી વલ્લભભાઇ પટેલ સાથે મળીને
ગાંધીજીએ આ ગામોમાં તપાસ કરી અને છેવટે "સુખી ખેડૂતો મહેસૂલ ભરશે, જ્યારે
ગરીબ ખેડૂતોને તેથી છૂટ આપવામાં આવે"- એવી શરતે તેનું સમાધાન કરવામાં
આવ્યું હતુ. આ પ્રમાણે ખેડૂતોમાં નીડરતા સાથે વિશ્વાસ કાયમ થયો અને
વલ્લ્ભભાઇ પટેલ જેવા એક મહાન નેતા ભારતને મળ્યા.
વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્યું.
રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્લેન્ડના માનવતાવાદી જહોન રસ્કિન, રશિયાના લિયો ટોલ્સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. "આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં." ઇશાવાષ્ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્યાલ સ્ફૂર્યો હતો. અર્થશાસ્રના "આર્થિક માનવ"ના ખ્યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. "જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે." એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્યાત્મના રંગે રંગી નાખ્યા હતા.
પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇ લખે છે "રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્થા જૉવા મળે છે."
ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્યું, "વર્ષોપહેલાં મારા પત્રવ્યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્યાત્મિક જરૂરિયાતના થઇ પડયા છે." નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, "સત્ય એ જ ભગવાન છે." ગાંધીજીએ કહ્યું છે, "જો સત્ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી." ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, "મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે."
ગાંધીજી : ભારતનું ગૌરવ

ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઇ
હથિયારે બ્રિટીશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં
બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલાં આ મહાપુરૂષે 'અહિંસા' પર
સૌથી વધુ ધ્યાન આપતાં તે સમયે તમામ ઠેકાણે ચાલી રહ્યાં આંદોલનો અને
સત્યાગ્રહોને આગળ વધારવામાં સારો ફાળો આપ્યો હતો અને પૂરા વિશ્વમાં તેમની
ચર્ચા થઇ હતી.
તેમનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર, 1869 ના
દિવસે થયો હતો, જ્યારે તેમની માતાનું નામ પુતળીબાઇ અને તેમના પિતાનું નામ
કરમચંદ ગાંધી હતુ. ગાંધીજી એક વૈષ્ણવ કુટુંબમાં જન્મ લીધો હતો અને વકીલાતના
અભિયાસ માટે તેઓ ઇંગ્લેંડ ગયા હતા. તેઓ 1915 માં ભારત પાછાં આવ્યા હતા.
ત્યાર બાદ એમણે 1915માં 25 મેના દિવસે અમદાવાદમાં આવેલાં કોચરબમાં
'સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના કરી હતી. આ દરમિયાન વીરમગામના લોકોથી લેવાતી
'જકાત' બાબતે એમણે બ્રિટીશ સરકારના વૉઇસરાય ચેમ્સફર્ડને પત્ર લખતાં જાણ કરી
હતી અને પાછળથી તે જકાતને રદ્દ કરવામાં આવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થયાં પછી બધે
ઠેકાણે વસ્તુઓ મોંઘી થઇ હતી. તે દરમિયાન અમદાવાદમાં કામ કરનાર મજૂરો તરફથી
પણ એમણે ઉપવાસ રાખેલાં, જેથી અંતે ત્યાંની કાપડ મિલોના માલીકોએ બધી
માંગણીઓને સ્વીકારતાં મજૂરોના પગારમાં વધારો કર્યો હતો અને વર્ષ 1920માં
આની સામે પ્રેરણા લેતાં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરવામાં આવી હતી.
G = Great
A = Amazing
N = Nice
D = Daring
H = Honest
I = Indian
Happy Birthday to the Father of the Nation
Gandhi Jayanti wishes....
www.thereportertimes.com/gandhi-jayanti-2015-quotes-wishes-sms-messages-whatsapp-status-greetings/7409/
www.thereportertimes.com/gandhi-jayanti-2015-quotes-wishes-sms-messages-whatsapp-status-greetings/7409/
G = Great
A = Amazing
N = Nice
D = Daring
H = Honest
I = Indian
Happy Birthday to the Father of the Nation
Gandhi Jayanti wishes....
www.thereportertimes.com/gandhi-jayanti-2015-quotes-wishes-sms-messages-whatsapp-status-greetings/7409/
www.thereportertimes.com/gandhi-jayanti-2015-quotes-wishes-sms-messages-whatsapp-status-greetings/7409/