HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 જૂન, 2015


  • વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી ની મન કી બાત
                                ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો 

  • વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી ની મન કી બાત : વિધાર્થીઓ માટે
                               ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો


General knowledge for Gujarat
કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? – નગીનાવાડી
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શુંૠ છે ? – નાટ્યસંપદા
કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? – ગુજરાત
કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય       
કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? – પોરબંદર
કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? - ભાવનગર
ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજનાદાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ
ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? – કેશુભાઇ પટેલ
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટીવલકયાં યોજે છે ? – સાપુતારા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? – ઇ.સ. ૧૯૭૩
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? – ગાંધીનગર
ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫
ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું
ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? – રણજીતરામ વાવાભાઇ મહેતા ૧૯૦૪
ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદીપપરથી ઉતરી આવ્યું છે? – ગરબા
ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ભારતસંહિતાઅને જયસંહિતાજુદી તારવી આપી છે? – કે.કા. શાસ્ત્રી
ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર
ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? – નડિયાદ
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? – અમદાવાદ
ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? – વલી ગુજરાતી
ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? – હંસા મહેતા

ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
 

Get Update Easy