આજનો વિચાર
- ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???
વિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય તે જાણવા નીચેની ઇમેજ પર ક્લિક કરો
જિંદગીને સફળ બનાવવામાં સઘળા સાધનોના અભાવ વચ્ચે કેવળ આત્મબળે દુનિયાને દંગ કરી મૂકે તેવો ઉત્કર્ષ સાધનાર હેલનકેલરે એક મઝાની વાત કરી છે. વિધાયક વિચારસરણીને સહારે જીવનનો વિકાસ સાધવા ઝંખનાર સૌ કોઈને માટે હેલનકેલરની એ ઊક્તિ ઘણી પ્રેરક છે.
હેલને કહ્યું છે તમારું મોં સૂર્યપ્રકાશ તરફ જ રાખો અને તો તમને પડછાયો નહીં દેખાય! પડછાયો માણસને પરેશાન કરી મૂકનારી વસ્તુ છે. જેના મનમાં પડછાયાની વાત પકડ જમાવે છે એને માટે મનની કાયમી શાંતિ દુર્લભ ચીજ બની રહે છે. હિટલર જેવા હિટલરને પણ પડછાયાની ચિંતા સતાવી ગઈ હતી. હિટલરે કહેલું કે તમે પ્રકાશમાં હો ત્યાં સુધી તો કશો વાંધો આવતો નથી. પણ અંધકાર જેવો તમને ઘેરી વળે કે તરત તમારો પડછાયો પણ તમારો સાથ છોડી જાય છે પણ જો પડછાયાની ચિંતા જ ગઈ તો? હેલનકેલર આપણને પ્રકાશનોે માર્ગ ચીંધે છે. આપણા પૂર્વજોએ પણ આપણને આવી જ પ્રાર્થના ભણાવી હતી. તમસો મા જ્યોતિર્ગમય-ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા!
જીવનને ઉમદા બનાવવા ઈચ્છનારે અંધકારથી ડર્યા વિના, પડછાયાના પ્રપંચમાં અટવાયા વગર નિરંતર પ્રકાશની આરાધના કરવાની છે. જીવનમાં ને જગતમાં જે કંઈ ઊજળું દેખાય છે તેની આકાંક્ષા સેવવાની છે.
હેલન કેલરનો આવો અનુરોધ જે સહજપણે સ્વીકારી શકે એના જીવનમાંથી અભાવોનોે વસવસો, ઊણપોનો પરિતાપ આપોઆપ જ વિદાય લેવા લાગે છે અને હેલનકેલરનું આ ઉદ્બોધન એમના જીવનની સંગીન સંઘર્ષયાત્રાની નીપજ છે. આ કંઈ પરોપદેશે પંડિતાઈ નથી. જેણે જીવનની વસમી વિષમતાનો સામનો કર્યો છે. તેની સામે ઝીંક ઝીલી દેખાડી છે એના વચનમાં વજૂદ હોય તો એમાં નવાઈ શી? જે પણ કંઈ પામ્યા છે, એમણે જીવનમાં વિધાયક વિચારસરણીનું જ શરણું શોધ્યું છે. જગતનો ઈતિહાસ એનો સાક્ષી છે.