HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 જુલાઈ, 2014

 

શિક્ષણ આત્મશુદ્ધિનો માર્ગ છે, ભૌતિક લાભ માટે તુલના ન કરો ...
મહાન ગણિતશાસ્ત્રી યુક્લિડના જીવનનો એક પ્રસંગ છે. યુક્લિડ જાણીતા ગણિતશાસ્ત્રી હતા. બીજાને પણ પોતાનું આ જ્ઞાન સહર્ષ વહેંચવા માટે તેઓ તૈયાર રહેતા હતા. યુક્લિડની પાસે જે ગણિત શીખવા આવતું, તેને તેઓ અત્યંત ધગશથી ભણાવતા અને તેની ગણિત સંબંધી તમામ જિજ્ઞાસાઓ સંતોષતા હતા. યુક્લિડના ગણિતના જ્ઞાન અને સહૃદયતાથી પ્રભાવિત થઈને દૂર દૂરથી વિદ્યાર્થીઓ તેમની પાસે ગણિત શીખવા માટે આવતા અને યુક્લિડ પણ તેમને નિરાશ નહોતા કરતા.

એક દિવસ યુક્લિડ પાસે એક યુવક આવ્યો અને તેણે તેમને જીયોમેટ્રિ શીખવવાનું કહ્યું. યુક્લિડે તે સ્વીકારી લીધું. યુવક કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હતો. તેણે યુક્લિડના જ્ઞાનને તીવ્રતાથી પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું. એક વખત યુક્લિડ તેને એક પ્રમેય શીખવી રહ્યા હતા. યુવકે કહ્યું કે આ પ્રમેય શીખવાથી મને શું લાભ થશે? આ સાંભળીને યુક્લિડ નારાજ થઈ ગયા અને પોતાના નોકરને કહ્યું કે મને એક ઓબેલ(યુનાની ચલણ) આપ, કારણ કે આ જ્ઞાનમાં ઓછો અને ધન કમાવામાં વધારે રસ રાખે છે તેથી તેના માટે શિક્ષણ ગ્રહણ કરવું બેકાર છે.

આ સાંભળીને શિષ્યને પોતાની ભૂલ સમજાઈ અને તેણે યુક્લિડની માફી માગી. સાર એટલો જ છેકે શિક્ષણ આત્મસમૃદ્ધિનો માર્ગ છે. તેની તુલના ક્યારેય ભૌતિક લાભ માટે ન કરવી જોઈએ અને જ્યાંથી જે માત્રામાં શિક્ષણ મળે તેને આત્મીયતાથી ગ્રહણ કરી લેવું જોઈએ.



Get Update Easy