![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEidKdYyN1-c7tKi5yE44vzg7fP4V2LUBkKEnceyQng6UjhvIqCboPDrxWJI9Mkcp9UERkQ-8BRC3hTp1CJBNvtbYcFgVbwyN5_lmrEoTFrCUa2cGWAakwxAOS_XUHbng9MiuyWD0yOq5RvM/s400/IMG-20130925-WA0021.jpg)
શિક્ષણ આત્મશુદ્ધિનો માર્ગ છે, ભૌતિક લાભ માટે તુલના ન કરો ...
એક દિવસ યુક્લિડ પાસે એક યુવક આવ્યો અને તેણે તેમને જીયોમેટ્રિ શીખવવાનું કહ્યું. યુક્લિડે તે સ્વીકારી લીધું. યુવક કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હતો. તેણે યુક્લિડના જ્ઞાનને તીવ્રતાથી પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું. એક વખત યુક્લિડ તેને એક પ્રમેય શીખવી રહ્યા હતા. યુવકે કહ્યું કે આ પ્રમેય શીખવાથી મને શું લાભ થશે? આ સાંભળીને યુક્લિડ નારાજ થઈ ગયા અને પોતાના નોકરને કહ્યું કે મને એક ઓબેલ(યુનાની ચલણ) આપ, કારણ કે આ જ્ઞાનમાં ઓછો અને ધન કમાવામાં વધારે રસ રાખે છે તેથી તેના માટે શિક્ષણ ગ્રહણ કરવું બેકાર છે.
આ સાંભળીને શિષ્યને પોતાની ભૂલ સમજાઈ અને તેણે યુક્લિડની માફી માગી. સાર એટલો જ છેકે શિક્ષણ આત્મસમૃદ્ધિનો માર્ગ છે. તેની તુલના ક્યારેય ભૌતિક લાભ માટે ન કરવી જોઈએ અને જ્યાંથી જે માત્રામાં શિક્ષણ મળે તેને આત્મીયતાથી ગ્રહણ કરી લેવું જોઈએ.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh4oEahzW73U9_avVyo7hsnr_lt8Y-8MdCgNzxhrgcXrdSRcnmgctFZw8R0zq4uL1uw-7JTJ4-ohS8mTlYS7qk1YR4emO7KxL099z-3FGpXhOfiKVgzMxWQNZ-5pr6QXYIeb78xTk-usiM/s400/B.gif)